Home Dharma Girnar Lili Parikrama 2023 :  જાણો આ મહિનામાં શરુ થઈ રહેલી પવિત્ર...

Girnar Lili Parikrama 2023 :  જાણો આ મહિનામાં શરુ થઈ રહેલી પવિત્ર ગિરનાર પરિક્રમાનો સમય અને તેના મહત્વ  વિશે

0
1612
Girnar Lili Parikrama 2023
Girnar Lili Parikrama 2023

Girnar Lili Parikrama 2023 :  મહાન હિમાલય કરતાં પણ જૂનું ગણાતું ગિરનાર એ પ્રાચીન મંદિરો અને ગુપ્ત ગુફાઓનો ખજાનો માનવામાં આવે છે. આ પવિત્ર ભૂમિ લાંબા સમયથી આધ્યાત્મિક અને ધાર્મિક અસ્થા અને  પ્રથાઓનું કેન્દ્ર બિંદુ રહ્યું છે, તેમજ કુદરતી અજાયબીઓથી સમૃદ્ધ આ ભૂમિ છે. એશિયાટિક સિંહોની વસ્તી, જંગલી છોડ અને વૃક્ષોની વિપુલતા માટે પ્રખ્યાત પ્રકૃતિ અને વન્યજીવ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે.

ગિરનાર પરિક્રમા (Girnar Parikrama) દરમિયાન, વન વિભાગ દ્વારા પર્વતમાળાના અમુક સામાન્ય રીતે સીમિત વિસ્તારોમાં પ્રવેશ કરવા માટે પરવાનગી આપે છે. તેથી, ભલે તમે દૈવી આશીર્વાદ મેળવો કે પ્રકૃતિની શાંતિ, ગિરનાર પરિક્રમા આ મોહક જંગલના સૌથી અંદરના ગર્ભગૃહને જોવાની આ સુવર્ણ તક છે.

આ વર્ષે, ગિરનાર પરિક્રમા 23 નવેમ્બરથી શરૂ થશે અને 27 નવેમ્બરના રોજ સમાપ્ત થશે.

ગિરનાર પરિક્રમાનો પ્રારંભ અને અંત |   Grinar Parikrama Starting and Ending  Date
કારતક શુક્લ એકાદશીથી શરૂ  |   Starts on Kartik Shukla Ekadashi  23/11/2023
કાર્તિક પૂર્ણિમાના રોજ સમાપ્ત |   Ends on Kartik Poornima  27/11/2023

ગરવા ગિરનારની પરિક્રમા કારતક સુદ અગિયારસના એટલે કે 23 નવેમ્બર ની મધ્યરાત્રીથી પ્રારંભો થવા જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર પરિક્રમા રૂટ પર જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગના અધિકારીઓ દ્વારા પરિક્રમા માર્ગ, શ્રદ્ધાળુઓ માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓની તૈયારીઓ પ્રારંભ થઇ ગઈ છે.

આ ધરતી ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દરવર્ષે યોજાય છે. જેને લોકભાષામાં પરકમ્મા અને લીલી પરકમ્મા પણ કહેવાય છે. ગિરનારની ફરતે યોજાતી આ ૩૬ કી.મી. ની ચાર દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોથી ભકતો આવે છે. આ પરિક્રમા કારતક સુદ અગીયારસે ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે.

  • ગિરનાર પરિક્રમાનાં સ્થળ અને માર્ગ | Route of Girnar Parikrama :
ભવનાથ થી ઝીણા બાવાની મઢી12 km
ઝીણા બાવાની મઢી થી માળવેલા8 km
માળવેલા થી બોરદેવી8 km
બોરદેવી થી ભવનાથ8 km
Route of Girnar Parikrama

પ્રથમ દિવસ :

જુનાગઢ શહેરથી ૫ કી.મી. દુર ગિરનારની તળેટીમાં કારતક સુદ અગીયારસે સવારથી જ ભવનાથ તળેટીમાં યાત્રિકો ભેગા થઈ જાય છે. તેજ દિવસે મધરાતે રૂપાયતનથી સંતો-મહંતો, જિલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તોની હાજરીમાં દિપ પ્રગટાવીને પરિક્રમાનો પ્રારંભ થાય છે. 36 કિલોમીટરની યાત્રા ભવનાથ તળેટીના દૂધેશ્વર મંદિરથી શરૂ થાય છે. યાત્રાળુઓ ઘનઘોર જંગલો ઈન્ટવા ની ઘોડી દ્વારા પાર કરે છે અને અંતે ઝીણા બાવા ની માડી સુધી પહોંચે છે,

જીણાબાવાની મઢી
જીણાબાવાની મઢી

બીજો દિવસ :

બીજા દિવસે રાત્રિ રોકાણ જીણાબાવાની મઢીએ થાય છે. યાત્રિકો માટે આ પ્રથમ વિસામો છે. અહીં શરૂઆતમાં વડલીવાલા માતાજીની જગ્યા આવેલી છે. તે પછી જીણાબાવાની મઢી આવે છે. અહીં નવાબી કાળમાં જીણાબાવા નામનાં સંત ધુણી ધખાવીને રહેતા હતાં. જેના નામ ઉપરથી આ સ્થળનું નામ પડયુ છે. અહીં ભગવાન શિવનું મંદિર અને જીણાબાવાનો ધુણો પણ આવેલો છે.

ત્રીજો દિવસ :

ત્રીજા દિવસે સવારથી જ નવી તાજગી સાથે યાત્રિકો જય ગિરનારી, જય ભોલેનાથ, હર હર મહાદેવ, જય ગુરૂદત જેવા નારા લગાવતા લગાવતા આગળ વધે છે. ત્રીજા દિવસનું રાત્રિ રોકાણ માળવેલામાં થાય છે. આ સ્થળ ગિરનારનાં જંગલનાં મધ્યમાં આવેલુ અતિ રમણીય છે. અહીં ખૂબજ ઉચી વેલો થાય છે, જયાં દિવસનાં સુર્યના કિરણો પણ પહોંચી શકતા નથી અને તેથીજ તેનુ નામ માળવેલા પડયું છે.

ચોથો દિવસ :

ચોથા દિવસે સવારે યાત્રિકોની વણજાર માળવેલાથી નીકળીને ગિરનારની પૂર્વમાં થઈને દક્ષિણ તરફ વળે છે. આ દિવસે યાત્રા અંતિમ ચરણ હોવાથી શારિરીક રીતે અશક્ત યાત્રિકો વિસામો લેતા લેતા ધીમે ધીમે આગળ વધતા હોય છે. અને સાંજનાં સમયે આવે છે – બોરદેવી. આમ પરિક્રમાનું ચોથા દિવસનું અને છેલ્લા દિવસનું રાત્રિ રોકાણ છે.

બોરદેવી
બોરદેવી

બોરદેવી માતાજીનું શિખરબંધ મંદિર આવેલુ છે. આ મંદિરના મહંતનાં જણાવ્યા મુજબ સ્કંદપુરાણમાં આ જગ્યાનો ઉલ્લેખ જોવા મળે છે. તે મુજબ શ્રી ક્રુષ્ણનાં બહેન સુભદ્રાના અને અર્જુનના લગ્ન અહીં થયેલ છે. જગદંબા માં અંબિકા માતાજી અહીં બોરડીમાંથી પ્રગટ થયેલ છે તેથી આ સ્થળનું નામ બોરદેવી પડેલ છે.

છેલ્લો દિવસ :

યાત્રાનાં છેલ્લા અને પાંચમા દિવસે એટલે કે, કારતક સુદ પૂનમે ‘દેવ દિવાળી’એ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે. યાત્રિકો ભવનાથ મહાદેવનાં દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પુર્ણ કરે છે. આમ આ કારતક સુદ અગીયારસથી શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારિરીક ક્ષમતાની કસોટીરૂપ પરિક્રમા પુરી થાય છે.

  • ગિરનાર પર્વત વિશે જાણો :

ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધચોરાસી સંતોનાં બેસણા છે. આ પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર ૩૬૦૦, અંબાજી ૩૩૦૦, ગૌમુખી શિખર ૩૧૨૦, જૈન મંદિર શિખર ૩૩૦૦ અને માળીપરબ ૧૮૦૦ ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને ૮૬૬ મંદિરો આવેલા છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે