HomeUncategorizedખટ્ટર સરકારે કરી મોટી જાહેરાત, હવે આ દિવસથી પેન્શનધારકોને મળશે 3000 રૂપિયા

ખટ્ટર સરકારે કરી મોટી જાહેરાત, હવે આ દિવસથી પેન્શનધારકોને મળશે 3000 રૂપિયા

Pension Update: હરિયાણામાં ભાજપ સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કરનાલમાં અંત્યોદય મહાસંમેલનમાં ભાગ લીધો હતો. હરિયાણાના તાઉના નામથી પ્રખ્યાત મનોહરલાલ  ખટ્ટર પણ ત્યાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, તેમણે પેન્શનરો માટે પાંચ નવી યોજનાઓ સાથે રાજ્યને મોટી ભેટ આપી છે. આગામી વર્ષ 2024થી પેન્શન (Pension) વધારીને 3000 રૂપિયા કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આ દિવસે થશે વધારો :

હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે 1 જાન્યુઆરી, 2024થી પેન્શન યોજના હેઠળ 30 લાખ લોકોને 3,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેમણે ભાજપની તરફેણમાં ચૂંટણીનું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કર્યો છે. બંનેએ સરકાર અને વિપક્ષની ઉપલબ્ધિઓને ગણાવી અને વિપક્ષ પર અનેક પ્રહારો કર્યા.

ગૃહમંત્રીએ કરી મોટી જાહેરાત :

ગૃહમંત્રી અમિત શાહે ગરીબોના કલ્યાણ સાથે સુશાસનના દરેક દિવસની ઉજવણી કરવા બદલ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને અભિનંદન પાઠવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, મોદી અને મનોહર સરકારે રાજ્યના 45 લાખથી વધુ લોકોના જીવનમાં નવો રંગ લાવ્યો છે. દર વર્ષે 20 લાખ જેટલા ખેડૂતો સન્માન નિધિનો લાભ મળશે.

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલે કહ્યું, “અમે 30 લાખ લોકોને 2,750 રૂપિયાનું માસિક પેન્શન (Pension) આપીએ છીએ. તેમાં વૃદ્ધાવસ્થા, વિધવા અને વિકલાંગતા પેન્શન (Pension) આપવામાં આવે છે. અમે અમારી યોજનાના લગભગ 95% વચનો પૂરા કર્યા છે.”

અયોધ્યા દર્શન યોજના :

“અમે ઘણા લાંબા સમયથી પ્રાર્થના કરી રહ્યા છીએ કે રામ લલ્લાને પોતાનું ભવ્ય મંદિર મળે” તેમણે તીર્થયાત્રા યોજનાનો ઉલ્લેખ કરતા કહ્યું. કોંગ્રેસ આ મુદ્દાને લાંબા સમયથી નજરઅંદાજ કર્યો. લોકોના આ સપનાને મોદી સરકારે પૂર્ણ કરી લક્ષ્ય સિદ્ધ કર્યું. આપ સૌ ‘અયોધ્યા દર્શન યોજનાનો લાભ લો અને દર્શન માટે અયોધ્યા જાઓ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments