મણિપુરમાં ફરી કર્ફ્યુ, 5 જિલ્લામાં અપાતી રાહત પણ રદ

0
158
મણિપુરમાં ફરી કર્ફ્યુ, 5 જિલ્લામાં અપાતી રાહત પણ રદ
મણિપુરમાં ફરી કર્ફ્યુ, 5 જિલ્લામાં અપાતી રાહત પણ રદ

મણિપુરમાં ફરી કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે.મણિપુરમાં ચાલી રહેલી હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી .જેના કારણે મણિપુરના લોકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સાવચેતીના પગલારૂપે મંગળવાર સાંજથી મણિપુર ખીણના તમામ પાંચ જિલ્લામાં સંપૂર્ણ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. બિષ્ણુપુર, કાકચિંગ, થૌબલ, ઇમ્ફાલ પશ્ચિમ અને ઇમ્ફાલ પૂર્વમાં કર્ફ્યુમાં છૂટછાટ રદ કરવામાં આવી છે.

પાંચ જિલ્લાઓને મુક્તિ મળી રહી છે

બુધવારે ખીણના જિલ્લાઓના તમામ ભાગોના લોકોને ચર્ચન્દ્રપુરથી થોડાક કિલોમીટર દૂર બિષ્ણુપુર જિલ્લામાં ફૌગકચાઓ ઇખાઈ ખાતે સૈન્ય બેરિકેડ્સને દૂર કરવા વિનંતી કરી. હાલમાં, ખીણના પાંચેય જિલ્લામાં દરરોજ સવારે 5 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી કર્ફ્યુમાં છૂટછાટ ચાલુ છે.સરકારના પ્રવક્તા અને માહિતી અને જનસંપર્ક મંત્રી સપમ રંજને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સરકાર COCOMIને 6 સપ્ટેમ્બરના રોજ ટોરબુંગ નજીક ફૌગાકચાઓ ઇખાઈ ખાતે સૈન્યના બેરિકેડ પર હુમલો કરવાની તેની પ્રસ્તાવિત યોજના પાછી ખેંચી લેવાની અપીલ કરી છે.

કોઓર્ડિનેશન કમિટી ઓન મણિપુર ઈન્ટીગ્રેશન અને તેની લેડી બ્રાન્ચની જાહેરાતને ધ્યાનમાં રાખીને આ પાંચ જિલ્લામાં કર્ફ્યુ જાહેર કરાયો છે. આ પાંચ જિલ્લાઓ બિષ્ણુપુર, કકચિંગ, થૌબલ, ઇમ્ફાલ પશ્ચિમ અને ઇમ્ફાલનો સમાવેશ થાય છે. અગાઉ આ રાજ્યોમાં અપાયેલી કર્ફ્યુમાં રાહતને રદ કરાઈ છે. આ જાહેરાતને લીધે હિંસા ફરી ન ભડકે, ધીમે ધીમે સુધરતી સ્થિતિ ફરી ન બગડે તેવા ઉદ્દેશ્ય સાથે સુરક્ષાદળોને કમાન સોંપાઈ છે. મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળતા ચુસ્ત બંબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

 

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ