Home Main ભાજપનો દાવો- INDIAના સંયોજક ન બનાવતા શુ નીતિશ કુમાર નારાજ થયા ?...

ભાજપનો દાવો- INDIAના સંયોજક ન બનાવતા શુ નીતિશ કુમાર નારાજ થયા ? બેંગ્લુરુમાં પીસીથી ગાયબ રહ્યા

0
668

ભાજપના રાજ્યસભા સાંસદ સુશીલ કુમાર મોદીએ દાવો કર્યો છે કે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર નારાજ થઈને બેંગલુરુમાં વિપક્ષી પાર્ટીની બેઠકમાંથી વહેલા પરત ફર્યા હતા. સુશીલ કુમાર મોદીએ કહ્યું કે, નીતિશ કુમારને નવા ગઠબંધન I.N.D.I.A.ના સંયોજક બનાવવામાં આવ્યા નથી. આથી તેઓ નારાજ છે અને વિપક્ષની બેઠકમાંથી વહેલા પરત ફર્યા છે. નીતિશ કુમાર કેમ વહેલા જતા રહ્યા તેને લઇને હાલ અટકળો  તેજ છે,

હકીકતમાં, વિપક્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો સામનો કરવા માટે એક થવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ ક્રમમાં, 17-18 જુલાઈના રોજ, કોંગ્રેસે બેંગલુરુમાં વિરોધ પક્ષોની એક મોટી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં 26 પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. એટલું જ નહીં, બેઠકમાં 2024ની લોકસભા ચૂંટણી માટે રચાઈ રહેલા આ ગઠબંધનનું નામ I.N.D.I.A એટલે કે ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લુસિવ એલાયન્સ રાખવામાં આવ્યું હતું.

નીતિશ કુમાર પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા ન હતા
બેંગલુરુમાં યોજાયેલી બેઠક બાદ વિરોધ પક્ષોએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ભાજપનો દાવો છે કે નીતિશે આ પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી ન હતી. તે પહેલા જ મીટિંગ છોડીને પટના જવા રવાના થઈ ગયા હતા. એટલું જ નહીં, પ્રેસ કોન્ફરન્સમાં માત્ર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, ઉદ્ધવ ઠાકરે અને રાહુલ ગાંધીએ વાત કરી હતી. આવી સ્થિતિમાં ભાજપનો દાવો છે કે નીતીશ કુમાર નારાજ થઈને બેઠકમાંથી પરત ફર્યા હતા.

સુશીલ કુમાર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, નીતિશ અને લાલુ પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધા વગર કેમ નીકળી ગયા. શું તેમને કન્વીનર ન બનાવવા બદલ નારાજ છે? તો, કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ ટ્વિટ કરીને કહ્યું, સાંભળ્યું છે કે બિહારના મહાઠગબંધનના મોટા-મોટા ભૂપતિ બેંગલુરુથી પહેલા જ નીકળી આવ્યા. દુલ્હો નક્કી થયો નથી, ફૂફા પહેલેથી જ નારાજ થઈ રહ્યા છે.

બેંગલુરુમાં નીતિશ વિરુદ્ધ પોસ્ટર
વિપક્ષી દળોની બેઠક પહેલા બેંગલુરુમાં નીતિશ કુમાર વિરુદ્ધ પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા. જેમાં બિહારમાં પડેલા પુલનો ઉલ્લેખ કરીને નીતિશ કુમારને અસ્થિર વડાપ્રધાન પદના દાવેદાર ગણાવ્યા હતા. એટલે કે તેઓ પીએમના અસ્થિર દાવેદાર છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ પર નિશાન સાધ્યું
બિહાર બીજેપી અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ કહ્યું કે, મહાગઠબંધનના લોકોએ નીતીશ કુમારને બેંગલુરુમાં બોલાવીને તેમનું અપમાન કર્યું. કોંગ્રેસ શાસિત રાજ્યમાં નીતિશ કુમારને અસ્થિર કહ્યા અને તેમને ઘણું સહન કરવું પડ્યું. કોંગ્રેસીઓની એ યુક્તિ હતી કે નીતિશ તેમના ગઠબંધનમાં આવે, પરંતુ તેમની ભૂમિકા ન હતી. આ માટે નીતિશ કુમાર પોતે જ જવાબદાર છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે