Home Dharma વાંચો ક્યાં નીકળી ઢિંગલા બાપાની ભવ્ય શોભાયાત્રા

વાંચો ક્યાં નીકળી ઢિંગલા બાપાની ભવ્ય શોભાયાત્રા

0
721

કહેવાય છેકે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શી જરૂર ? અને તે પ્રમાણે ભારતીય સંસ્કૃતિમાં અનેક પરંપરાઓ લોકોના મુખે છે તેજ પ્રમાણે ગુજરાતના નવસારી શહેરમાં 100 વર્ષ જૂની પરંપરા મુજબ ઢીંગલા બાપની શોભાયાત્રા નીકળવામાં આવી. નવસારી શહેરમાં અષાઢી અમાસના દિવસે હુંદુ હળપતિ રાઠોડ દ્વારા ભક્તિભાવ પૂર્વક ઢીંગલા બાપની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી. ઢીંગલા બાપનો ઉત્સવ આદિવાસી સમાજ માટે આસ્થાનો અને ભક્તિનો ઉત્સવ છે. ઢીંગલા બાપના દર્શન માટે દક્ષીણ ગુજરાતના આદિવાસી સમાજના લોકોનું ઘોડાપુર ઉમટ્યું હતું.

નવસારી શહેરમાં હળપતિ રાઠોડ સમાજ દ્વારા લોક વાયકા મુજબ 100 વર્ષ પહેલા નવસારી જીલ્લામાં ભયાનક રોગચાળો ફરી નીકળ્યો હતો. જેના કારણે મૂંગા પશુઓ અને માણસો ટપોટપ મૃત્યુ નજીક પહોંચ્યા હતા અને મોટી સંખ્યામાં જાનહાની થઇ હતી. ત્યારે ઢીંગલા બાપાની યાત્રા નીકળવામાં આવી હતી. આશરે 100 વર્ષ પહેલા શરુ થયેલી પરંપરા આજે પણ નવસારી શહેરમાં ભક્તિભાવ પૂર્વક નીકળવામાં આવે છે.

 ઢીંગલા બાપાની યાત્રા નીકળવામાં આવી હતી. આશરે 100 વર્ષ પહેલા શરુ થયેલી પરંપરા આજે પણ નવસારી શહેરમાં ભક્તિભાવ પૂર્વક નીકળવામાં આવે છે.

ઢીંગલા બાપની યાત્રાનું મહત્વ અને તેના વિષે જાણીએતો એક પુતળું બનાવવામાં આવે છે અને જ્યાં સુધી તેનું વિસર્જન ન થાય ત્યાં સુધી તેને સિગરેટ પીવડાવવામાં આવે છે અને અનોખી રીતે વ્યાસન મુક્તિનો સંદેશો આપવામાં આવે છે. ઢીંગલા બાપાના પુતળા સમક્ષ ધૂમ્રપાનના વ્યસનીઓ સંકલ્પ કરે છે અને વ્યાસન મુક્ત બનતા હોય છે. આ પુતળાને વરરાજાની જેમજ શણગાર કરવામાં આવે છે અને હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે.

શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકોની જનમેદની ઉમટી પડે છે

આ લોકવાયકા મુજબ આજે પણ વષોથી ચાલી રહેલી પ્રથા પ્રમાણે રાઠોડ હળપતિ સમાજ ઢીંગલા બાપાને વરરાજાના જેમ શણગાર કરી મોઢામાં સિગરેટ મુકી ફૂલ-હાર અને કલગી અર્પણ કરી શ્રધ્ધા અને ભક્તિ પૂર્વક માંનતાઓ લઇ પૂજા-અર્ચના કરી બેન્ડવાજા સાથે નાચતા ગાતા ઢીંગલા બાપાની શોભાયાત્રા કાઠવામાં આવે છે અને આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકોની જનમેદની ઉમટી પડે છે. આ ઢીંગલા બાપાને નદીમાં વિસર્જન કરવામાં આવે છે.
દક્ષુણ ગુજરાતનાં આદિવાસી રાઠોડ હળપતિ સમાજને ઢીંગલા બાપા પર શ્રદ્ધા અને આસ્થા છે. સમગ્ર વર્ષ ઢીંગલા બાપાની આરાધના કરી મનની ઈચ્છાઓ પુરી કરવા આદિવાસી સમાજ સહિત અન્ય સમાજ પણ અષાઢી અમાસે ઢીંગલા બાપાના દ્વારે ભક્ત જનો દુરથી આવીને દર્શન કરે છે અને ધન્યતાનો અનુભવ કરે છે .વર્ષ દરમ્યાન કોઈ રોગ નથાય અને તંદુરસ્ત રહેવાય તેવી પ્રાથના પણ કરે છે.ત્યારે બદલાતા જમાનાનીઆધુનિકતા અને નાસ્તિકતા તરફ પ્રયાણ કરી રહેલા મનુષ્યના દિલમા આજે પણ શ્રધ્ધા અને ભક્તિ કાયમ છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે