જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષની જીત

0
134

જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષની જીત થઈ છે.મુસ્લિમ પક્ષની અરજી કોર્ટે ફગાવી છે.કોર્ટે જ્ઞાન વાપી પરિસરમાં આવેલ શ્રૃંગાર ગૌરી દેવી દેવતાઓની મૂર્તિઓની પૂજા કરવાનો અધિકાર માગતી હિન્દુ પક્ષનીઅરજી સુનાવણી કરવા માટે યોગ્ય માની છે.આ સાથે અલ્હાબાદ હાઈ કોર્ટે મસ્જીદ કમિટિની અરજી ફગાવી દીધી છે.હાઈકોર્ટના આ નિર્ણય બાદ નિયમીત પૂજા કરવાનો માર્ગ મોકળો થયો છે. અરજીમાં વારણસી જિલ્લા ન્યાયધીશના નિર્ણયને 12 સપ્ટેમ્બરે પડકારાયો હતો. કોર્ટમાં અરજી કરનાર 5 મહિલા સહિત 10 લોકોને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા.જસ્ટીસ જે.જે મુનિરની  સિંગલ ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો.