HomeDeshઆ મસ્જીદ પર કેમ કરાયો કેસ !

આ મસ્જીદ પર કેમ કરાયો કેસ !

શ્રી કૃષ્ણ જન્મભૂમિ રક્ષિત સેવા ટ્રસ્ટે આગ્રામાં આવેલી જામા મસ્જિદના પગથિયાંમાં દફનાવવામાં આવેલી ભગવાન કેશવદેવની મૂર્તિને કાઢવા માટે કેસ કર્યો છે, આ કેસ આગ્રાના સિવિલ કોર્ટમાં દાખલ કર્યો છે. આ દાવો સ્વીકારીને, કોર્ટે જામા મસ્જીદના સત્તાવાળાઓનને નોટિસ જારી કરીને 31 મે સુધીમાં તેમનો પક્ષ રજૂ કરવા જણાવ્યું છે,  ટ્રસ્ટના ચેરમેન મનોજ કુમાર પાંડે વતી 11 મેના રોજ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.ઇતિહાસ કહે છે  કેઔરંગઝેબે 1670માં કેશવદેવના મંદિરનો નાશ કર્યો હતો. તેમણે આગ્રામાં જામા મસ્જિદના પગથિયાંમાં કેશવદેવની મૂર્તિને દફનાવી હતી, ત્યારે ઔરંગઝેબના સમકાલીન ઇતિહાસકારો સહિત ઘણા ઇતિહાસકારોએ તેમના પુસ્તકોમાં તેનું વર્ણન કર્યું છે.  ત્યારે દબાયેલી મુર્તિઓને કાઢીને તેને મથુરા લઇ જઇને તેની પુજા અર્ચના કરવાની માંગ કરાઇ છે, જેમાં કથાકાર દેવકી નંદર ઠાકુરે બિડુ ઝડપ્યુ છે,
 

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ
વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments