NCP સમિતિએ શરદ પવારના રાજીનામાનો અસ્વીકાર કર્યો

0
245

NCPના વડા શરદ પવારે પ્રમુખ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી તે અંગે કોર કમિટીની બેઠક આજે મુંબઈ મળી મળી હતી.

આ બેઠકમાં NCPના નેતા પ્રફુલ પટેલે ફરી એકવાર શરદ પવારના નામની પસંદગી માટે પ્રસ્તાવ મુક્યો તેને સમિતિએ મંજુર કર્યો અને શરદ પવારના રાજીનામાને અમાન્ય ગણાવ્યો હતો.

બેઠક પહેલા NCP નેતા જયંત પાટીલે કહ્યું કે અમે શરદ પવાર સાહેબની સાથે છીએ .

NCPનો દરેક કાર્યકર્તા શરદ પવાર ને જ પોતાના પક્ષના પ્રમુખ મને છે. તેમના રાજીનામાનો અમે વિરોધ કરીએ છીએ સાથે જ તેમને કહ્યું કે શરદ પવાર સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નથી. …

વધુ માહિતી માટે જોતા રહો વી.આર.લાઈવ

સમાચારની સતત અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ