ડમીકાંડના તોડકાંડમાં શિવુભા ગોહિલે કર્યું સરેન્ડર

0
147

ડમીકાંડના તોડકાંડમાં શિવુભા ગોહિલે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. યુવરાજસિંહના સાળા શિવુભા ગોહિલે એ ડિવિઝન પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. શિવુભા ગોહિલે કહ્યું હતું કે આ રાજકીય ષડયંત્ર છે. પૈસાની કોઇ લેતીદેતી થઇ નથી. નોંધનીય છે કે પોલીસે યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલની ધરપકડ કરી છે. કાનભા ગોહિલના મિત્રના ઘરેથી પોલીસે 38 લાખ રૂપિયા રિકવર કર્યા હતા.