ડીસા શહેરમાં ડો.બાબા સાહેબ આંબેડકર જન્મજયંતીની ઉજવણી કરાઈ

0
302

લોકોએ બાબા સાહેબના આદર્શોને જીવનમાં ઉતારવાની પ્રેરણા લીધી

ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરની 132 મી જન્મ જયંતી નિમિત્તે ડીસામાં વિશાળ રેલી સાથે બાબાસાહેબની પ્રતિમાને ફૂલ અર્પણ  કરવામાં આવ્યા . અને શાળાના વિદ્યાર્થીઓ સહિત લોકોએ બાબા સાહેબ અમર રહો ના નારા લગાવ્યા હતા . અને આજના દિવસે બાબા સાહેબે દેશમાં દલિતો ,વંચિતો ,શોષિતો માટે કરેલા કાર્યોને યાદ કરી તેમના આદર્શોને જીવનમાં ઉતારવાની પ્રેરણા લીધી હતી.