છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ભાજપ પર આકરા શાબ્દિક પ્રહાર

0
143

PM છત્તીસગઢ કોંગ્રેસને વખાણે છે અને ભાજપ મગરના આંસુ વહાવે છે : સીએમ બઘેલ

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ભાજપ પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે, “ભારતીય જનતા પાર્ટીના લોકો બૂમો પાડી રહ્યા છે કે, નળ-જલ યોજના નિષ્ફળ છે અને આવાસની હાલત ખરાબ છે. વડાપ્રધાને લખ્યું છે કે, છત્તીસગઢમાં 17 લાખ લોકોને નળનું પાણી, 34 લાખ ઘરો અને 35 લાખ સિલિન્ડર મળ્યા છે. તેઓ સિદ્ધિ કહી રહ્યા છે, જેમાં 50 ટકા સિદ્ધિ પણ રાજ્ય સરકારની છે. એક તરફ પીએમ વખાણ કરી રહ્યા છે અને બીજી તરફ ભાજપના લોકો મગરના આંસુ વહાવી રહ્યા છે.”