HomeBreaking Newsપાકિસ્તાનની જનતાના પેટ પર પાટું ,સબસિડીવાળા લોટનું વેચાણ બંધ

પાકિસ્તાનની જનતાના પેટ પર પાટું ,સબસિડીવાળા લોટનું વેચાણ બંધ

વેપારીઓ દ્વારા ઘઉંના લોટની થઇ રહી છે કાળા બજારી

હાલના સમયમાં જ્યારે પાકિસ્તાનીઓ મૂળભૂત બાબતો માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે સરકાર પર નાગરિકોની પીઠમાં છરા મારવાનો આરોપ છે. ગંભીર આર્થિક કટોકટી હોવા છતાં, સરકાર દ્વારા વાજબી ભાવે આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવી રહી નથી. લોટ મિલો બ્લેકમાં વેચાણ કરતી જોવા મળી હતી અને પાકિસ્તાનની પંજાબ સરકારે સબસિડી આપવાનું બંધ કરી દીધું છે. સરકાર અને લોટ મિલોનું સંપૂર્ણ પીઠબળ ધરાવતા દુકાનદારો ‘કાળા બઝારી કરી રહ્યા છે. પાકિસ્તાનની પંજાબ સરકારે માત્ર સબસિડીવાળા લોટનું વેચાણ કરવાનું બંધ કર્યું નથી, પરંતુ તે 10-કિલોની થેલીનો દર પણ 648રૂપિયા થી 1150 પાકિસ્તાની રૂપિયા વધારી દીધો છે. જે દુકાનદારોએ હવે લોટની થેલીઓ 1600રૂમાં વેચવાનું શરૂ કર્યું છે. કારણ કે તેઓ ખોરાક મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. નિરીક્ષકોને લાગે છે કે પાકિસ્તાન સરકારના ભ્રષ્ટાચારે નિરાશામાં જીવી રહેલા લોકોના ઘા પર મીઠું છાંટ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments