દિલ્હીમાં જ્વેલરીના શોરૂમમાં 25 કરોડની ચોરી

    0
    74
    દિલ્હીમાં જ્વેલરીના શોરૂમમાં 25 કરોડની ચોરી
    દિલ્હીમાં જ્વેલરીના શોરૂમમાં 25 કરોડની ચોરી

    દિલ્હીમાં જ્વેલરીના શોરૂમમાં 25 કરોડની ચોરી

    ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ

    પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી 

    દિલ્હીમાં જ્વેલરીના શોરૂમમાં 25 કરોડની ચોરી થઈ છે.રાજધાની દિલ્હીમાં ચોરીની એક મોટી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. દિલ્હીના ભોગલ વિસ્તારમાં સ્થિત ઉમરાવ જ્વેલરમાં મોડી રાત્રે 25 કરોડ રૂપિયાની ચોરીની ઘટના બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચોરો દિવાલમાં છિદ્ર બનાવીને શોરૂમના સ્ટ્રોંગ રૂમમાં પહોંચ્યા હતા. રવિવારે આ ચોરી થઈ હોવાની પોલીસને આશંકા છે. હાલ નિઝામુદ્દીન પોલીસ સ્ટેશને ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. શોરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરાની ચકાસણી કરવામાં આવી રહી છે.

    શોરૂમના માલિકના જણાવ્યા અનુસાર આશરે 20 થી 25 કરોડ રૂપિયાની ચોરી આચરવામાં આવી છે. રવિવારે દુકાન બંધ કરી ત્યાં સુધી કંઈપણ શંકાસ્પદ લાગ્યું ન હતું. સોમવારે શોરૂમ બંધ રાખવામાં આવ્યો હતો. મંગળવારે સવારે જ્યારે શોરૂમ ખુલ્યો ત્યારે સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. સ્ટ્રોંગ રૂમ પાસે શોરૂમની દિવાલમાં એક મોટું  જોવા મળ્યું હતું. ચોર છત અને દિવાલમાં કાણું પાડી અંદર પહોંચ્યા હતા. તેમણે શાંતિથી આ ચોરીને અંજામ આપ્યો છે. કારણ કે ચોર સોના-ચાંદીની મોટાભાગની કિંમતી વસ્તુઓ લઈ ગયા છે. અંદાજ છે કે ચોરો રૂ.20 થી 25 કરોડના દાગીનાની ચોરી કરી ગયા છે. પોલીસ હાલમાં શોરૂમમાં લાગેલા સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરી રહી છે. આ ઉપરાંત નજીકના લોકો અને શોરૂમના સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં આરોપીઓ વિશે કડીઓ શોધી લેશે.

    વાંચો અહીં પાકિસ્તાનથી શ્રધ્ધાળુઓ પહોંચ્યા ઉત્તરાખંડ