કલોલમાંથી પસાર થતી કેનાલમાંથી મળ્યા ૩ મહિનામાં ૨૩ મૃતદેહ મળ્યા

0
32

કલોલમાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ સ્યુસાઈડ પોઈન્ટ બની છે. અહીં જાસપુર, શેરીસા અને પિયજ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી છેલ્લા ૩ મહિનામાં ૨૩ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જે ખૂબ જ ચિંતાનો વિષય છે. અહીં ફેબ્રુઆરીમાં બે, માર્ચમાં ચૌદ અને એપ્રિલમાં સાત મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. આ માત્ર જાહેર થયેલા આંકડા હજુ છે. કેનાલની અંદર કેટલી લાશો હશે તેનો અંદાજ કાઢવો મુશ્કેલ છે. મહત્વનું છે કે, અહીં આ પ્રકારની ઘટના ન બને તે માટે સુરક્ષા કર્મીઓ પણ તૈનાત છે. આ ઉપરાંત, સતત પેટ્રોલિંગ પણ ચાલુ હોય છે. તે છતાં આ પ્રકારની ઘટનાઓ અવારનવાર બની રહી છે. જેથી આપઘાતની ઘટનાઓને રોકવા તંત્રએ અન્ય કોઈ રસ્તો પણ અપનાવવો જરૂરી છે.