Home State Gujarat સ્વામી નારાયણ સંપ્રદાયના સંતે કચ્છની ધરતી પર પાકિસ્તાનની જય બોલાવી… જાણો કેમ...

સ્વામી નારાયણ સંપ્રદાયના સંતે કચ્છની ધરતી પર પાકિસ્તાનની જય બોલાવી… જાણો કેમ ?    

0
595
સ્વામીનારાયણ સંપ્રદાય
સ્વામીનારાયણ સંપ્રદાય

સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીએ   કચ્છ જીલ્લાના એક સરકારી કાર્યક્રમમાં પાકિસ્તાનની જય બોલાવતા ભારે વિવાદ સર્જાયો છે, સરકારી આવાસના લોકાર્પણના કાર્યક્રમમાં સંતે જાહેર મંચ પરથી પાકિસ્તાનની….. સંબોધન કર્યું હતું જેના જવાબમાં હાજર લોકોએ જયનો સુર પુરાવ્યો હતો… શું છે સમગ્ર મામલો વાંચો અમારો આ અહેવાલ…..    

સ્વામીનારાયણ સંપ્રદાય

સ્વામિનારાયણના સાધુનો ફરી એકવાર વિવાદિત સંબોધનનો મામલો સામે આવ્યો છે. હાલમાં જ PM આવાસ યોજનાના ઈ-લોકાર્પણનો કાર્યક્રમનો કાર્યક્રમ યોજાયો હતો. કચ્છના રાપરમાં ચિત્રોડ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ગુરુકુળના કે.પી સ્વામીએ દેવી-દેવતાઓના નામ બોલાવી જયઘોષની સાથે પાકિસ્તાની પણ જય બોલાવી દીધી હતી. જેને લઈને સભાના મંડપમાં હાજર લોકોમાં પણ થોડીવાર માટે સોપો પડી ગયો હતો. સ્વામીનો વીડિયો પણ હાલમાં વાઈરલ થયો છે.

સ્વામીનારાયણ સંપ્રદાયના સંતે આવાસ યોજનાના કાર્યક્રમમાં પાકિસ્તાનની જય બોલાવાઈ

રાપરમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના મેદાનમાં PM આવાસ યોજનાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. દરમિયાન કે.પી સ્વામીએ ભારત માતા કી, સનાતન ધર્મ કી, હિન્દુ રાષ્ટ્ર કી, ગાય માતા કી, કૃષ્ણ ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી અને પછી પાકિસ્તાન કી… બોલતા લોકોએ પાકિસ્તાનનો જયકારો બોલાવી દીધો હતો. લોકોએ પણ સ્વામીની વાતમાં આવીને જયકારો બોલી નાખ્યો. સ્થાનિક ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને ભાજપના આગેવાનોની હાજરીમાં આ પ્રકારે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હતા. બાદમાં સ્વામીએ કહ્યું કે, અનાજ ભારતનું ખાવ છો, ભારતની માટી પર રહો છો અને પાકિસ્તાનની જય બોલાવતા શરમ ન આવી તમને? સ્વીમીનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયમાં ફરતો થઈ ગયો છે.

સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીએ વીડિયો આવ્યા બાદ શું કહ્યું?

સ્વામીનારાયણ સંપ્રદાય

વાઈરલ વીડિયો પર સ્વામીએ પ્રતિક્રિયા પણ આપી છે અને કહ્યું છે કે, આવાસ લોકાર્પણના કાર્યક્રમમાં રાષ્ટ્રભાવનામાં કેટલા લોકો સચેત છે એવા ભાવ સાથે મેં જય બોલાવી હતી, મારો ભાવાર્થ ખોટો નહોતો. કોઈએ વીડિયો કાપીને મને બદનામ કર્યો છે. સંપૂર્ણ વીડિયોમાં મેં દેશભક્તિની વાત કરી હતી.

 

વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે જમ્મુ-કાશ્મીર: માતા વૈષ્ણોદેવીના દર્શન માટે શ્રદ્ધાળુઓને મોટી રાહત ઈતિહાસનો સૌથી પહેલો ન્યુક્લિયર બોમ્બ એટેક કોણે કોના પર કર્યો હતો??? Without Egg, Oil અને Milk વગર બનાવો વિગન મેયોનીઝ જો ન્યુક્લિયર હુમલો થાય તો શું નુકશાન થાય ? તેના રેડીયેશનથી શું થાય આવો જાણીએ ‘અમે પરમાણુ યુદ્ધ રોક્યું તેનો મને ગર્વ…’, ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર બોલ્યા ટ્રમ્પ