Home State Gujarat સ્વામી નારાયણ સંપ્રદાયના સંતે કચ્છની ધરતી પર પાકિસ્તાનની જય બોલાવી… જાણો કેમ...

સ્વામી નારાયણ સંપ્રદાયના સંતે કચ્છની ધરતી પર પાકિસ્તાનની જય બોલાવી… જાણો કેમ ?    

0
538
સ્વામીનારાયણ સંપ્રદાય
સ્વામીનારાયણ સંપ્રદાય

સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીએ   કચ્છ જીલ્લાના એક સરકારી કાર્યક્રમમાં પાકિસ્તાનની જય બોલાવતા ભારે વિવાદ સર્જાયો છે, સરકારી આવાસના લોકાર્પણના કાર્યક્રમમાં સંતે જાહેર મંચ પરથી પાકિસ્તાનની….. સંબોધન કર્યું હતું જેના જવાબમાં હાજર લોકોએ જયનો સુર પુરાવ્યો હતો… શું છે સમગ્ર મામલો વાંચો અમારો આ અહેવાલ…..    

સ્વામીનારાયણ સંપ્રદાય

સ્વામિનારાયણના સાધુનો ફરી એકવાર વિવાદિત સંબોધનનો મામલો સામે આવ્યો છે. હાલમાં જ PM આવાસ યોજનાના ઈ-લોકાર્પણનો કાર્યક્રમનો કાર્યક્રમ યોજાયો હતો. કચ્છના રાપરમાં ચિત્રોડ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ગુરુકુળના કે.પી સ્વામીએ દેવી-દેવતાઓના નામ બોલાવી જયઘોષની સાથે પાકિસ્તાની પણ જય બોલાવી દીધી હતી. જેને લઈને સભાના મંડપમાં હાજર લોકોમાં પણ થોડીવાર માટે સોપો પડી ગયો હતો. સ્વામીનો વીડિયો પણ હાલમાં વાઈરલ થયો છે.

સ્વામીનારાયણ સંપ્રદાયના સંતે આવાસ યોજનાના કાર્યક્રમમાં પાકિસ્તાનની જય બોલાવાઈ

રાપરમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના મેદાનમાં PM આવાસ યોજનાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. દરમિયાન કે.પી સ્વામીએ ભારત માતા કી, સનાતન ધર્મ કી, હિન્દુ રાષ્ટ્ર કી, ગાય માતા કી, કૃષ્ણ ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી અને પછી પાકિસ્તાન કી… બોલતા લોકોએ પાકિસ્તાનનો જયકારો બોલાવી દીધો હતો. લોકોએ પણ સ્વામીની વાતમાં આવીને જયકારો બોલી નાખ્યો. સ્થાનિક ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને ભાજપના આગેવાનોની હાજરીમાં આ પ્રકારે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હતા. બાદમાં સ્વામીએ કહ્યું કે, અનાજ ભારતનું ખાવ છો, ભારતની માટી પર રહો છો અને પાકિસ્તાનની જય બોલાવતા શરમ ન આવી તમને? સ્વીમીનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયમાં ફરતો થઈ ગયો છે.

સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીએ વીડિયો આવ્યા બાદ શું કહ્યું?

સ્વામીનારાયણ સંપ્રદાય

વાઈરલ વીડિયો પર સ્વામીએ પ્રતિક્રિયા પણ આપી છે અને કહ્યું છે કે, આવાસ લોકાર્પણના કાર્યક્રમમાં રાષ્ટ્રભાવનામાં કેટલા લોકો સચેત છે એવા ભાવ સાથે મેં જય બોલાવી હતી, મારો ભાવાર્થ ખોટો નહોતો. કોઈએ વીડિયો કાપીને મને બદનામ કર્યો છે. સંપૂર્ણ વીડિયોમાં મેં દેશભક્તિની વાત કરી હતી.

 

વિમેન્સ T20 વર્લ્ડ કપ: ભારતનો હેતુ પુરૂષ ટીમના વિજય સાથે પ્રેરણા તરીકે ગૌરવ મેળવવાનો છે નવરાત્રિમાં નવ દિવસ વાર પ્રમાણે પહેરો નવ રંગોના બોલીવુડ સ્ટાઇલના કપડાં. Happy Navratri 2024 Wishes World Tourism Day 2024 27 સપ્ટેમ્બર એટલે વિશ્વ પ્રવાસન દિવસ Jivitputrika Vrat 2024: જાણો તિથિ, શુભ સમય માતાઓ તેમના બાળકોના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરે છે ઉર્મિલા માતોંડકર અને પતિ મોહસીન અખ્તર મીર લગ્નના 8 વર્ષ પછી છૂટાછેડા લીધા રિયા સિંઘાએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો તાજ પહેર્યો આવો જાણીએ મિસ યુનિવર્સ ઇન્ડિયા રિયા સિંઘા વિષે ફવાદ ખાન અને માહિર ખાન સ્ટારર ફિલ્મ ૧૦ વર્ષમાં પહેલી પાકિસ્તાની ફિલ્મ રીલીઝ થશે ૮ એવા ખોરાક જે ધીમી કરશે ત્વચા ની વૃદ્ધાવસ્થા ઓણમ ઉત્સવ કેરળનો સૌથી મોટો તહેવાર હેપ્પી ઓણમ હરતાલિકા તીજ 2024 ની શુભકામનાઓ આ દિવસ ગૌરી શંકરની પૂજાનું મહત્વ છે Ganesh Chaturthi 2024 : ગણપતિ મૂર્તિ સ્થાપના ક્યારે કરવી? શુભ મુહૂર્ત સમય સહિત મહત્વની વિગત જાણો ગણેશ ઉત્સવની શરૂઆત થવાની છે આવો જાણીએ તેમના વિષે iPhone 16 ની કિમંત ભારતમાં શું હશે ?? ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના બીજા રાષ્ટ્રપતિ વિશે જાણવા જેવી બાબતો બાય-બાય રીડિંગ ચશ્મા મલેશિયાની રાજધાનીમાં ભારતીય મહિલા સિંકહોલ નીચે ગાયબ થઈ ગઈ આ કૃષ્ણ જન્માષ્ટમી એ ૪ શુભ વસ્તુઓ ઘરે લઈ જાઓ વિનેશ ફોગાટ દિલ્લીમાં ૨૦૨૩ VS વિનેશ ફોગાટ પેરીસમાં ૨૦૨૪ વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવ્યા બાદ રાજકીય વિવાદ, “ષડયંત્ર”નો આરોપ