ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે કર્યા કોંગ્રેસ પર પ્રહાર

0
540

કર્ણાટક ચૂંટણી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની જીભ લપસી હતી. તેમણે પીએમ મોદીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે.ખડગેએ કહ્યું હતું કે પીએમ મોદી ઝેરીલા સાપ જેવા છે. ખડેગેના આ નિવેદન અંગે ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં હતાં.ગુજરાત  ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી દેશનો વિકાસ કરી રહ્યાં છે.અને તેમની લોકપ્રિયતા વધી રહી છે. તે કોંગ્રેસથી સહન થતું નથી.એટલા માટે કોંગ્રેસ વડાપ્રધાન પર આક્ષેપો કરી રહી છે. દેશમાં કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ થઈ ચુક્યું છે..માહિતિ માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ