જેલના નિયમોની વિરુદ્ધ જઈને સુપરિન્ટેન્ડેન્ટની ખુરશી પર બેઠા અનિરુદ્ધાચાર્ય  

0
140

પ્રખ્યાત કથાકાર અનિરુદ્ધાચાર્ય ફરી ચર્ચામાં

પ્રખ્યાત કથાકાર અનિરુદ્ધાચાર્ય આ દિવસોમાં ચર્ચામાં છે. ભોપાલ સેન્ટ્રલ જેલમાં સુપરિન્ટેન્ડેન્ટની ખુરશી પર બેઠેલી તેમની તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે અને આ મામલો હવે જોર પકડી રહ્યો છે. જેલના વડામથકે જેલ સુપ્રિટેન્ડેન્ટ રાકેશ ભાંગરેની ખુરશી પર બેઠેલા મહારાજના મામલાની નોંધ લીધી છે. જેલ એડીજીએ આ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી અને જેલ સુપ્રિટેન્ડેન્ટ સાથે પણ વાત કરી હતી. જેલ પ્રબંધન સાથે જોડાયેલા અધિકારીઓ પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે કે મહારાજ જેલના નિયમોની વિરુદ્ધ જઈને કેવી રીતે ખુરશી પર બેઠા હતા.