કેદારનાથ ધામના કપાટ ખુલ્યા

0
169

કેદારનાથ બાબાના દર્શનની આતુરતાનો આખરે અંત આવી ગયો છે. હર હર મહાદેવના નાદ સાથે કપાટ કેદારનાથ બાબાના કપાટ ખુલી ગયા છે.મંગળવારે સવારે 6.20 મીનીટે બાબાના મંદિરના કપાટ ખુલો ગયા છે. આ શુભ અવસર પર મંદિરને 35 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. અંદાજીત સાત હજારથી વધુ ભક્તો આ ક્ષણના સાક્ષી બન્યા છે. બાબા કેદારનાથના મંત્રોચ્ચારથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. કેદારનાથ ધામના કપાટ ખુલ્યા બાદ મંદિરના મુખ્ય પૂજારી જગદગુરુ રાવલ ભીમ શંકર લિંગ શિવચાર્યએ ગર્ભગૃહમાં ભગવાન કેદારનાથની વિશેષ પૂજા-અર્ચના કરી હતી.