અંબાજી નજીક શીતળા માતા ઘાટી નજીક ગમખ્વાર અકસ્માત

0
138

દાંતા તાલુકામાં મોટાભાગનો માર્ગ પહાડી વિસ્તાર અને ઢલાંગ વાળો હોવાના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે. દાંતા તાલુકામાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. યાત્રાધામ અંબાજીમાં શીતળા માતા ઘાટી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા બસ અને ડમ્પરને નુકસાન થયું હતું.અકસ્માતમાં બસમાં સવાર લોકોને ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ  ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં સદનસીએ જાનહાનિ થઈ ન હતી.માહિતિ માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.