Home Main ગુજરાત સરકારની જાહેરાત – કરાર આધારિત કર્મચારીઓનું ફરજ દરમિયાન અવસાન થશે તો...

ગુજરાત સરકારની જાહેરાત – કરાર આધારિત કર્મચારીઓનું ફરજ દરમિયાન અવસાન થશે તો ચૂકવાશે 14 લાખની સહાય

0
556
વાઇબ્રન્ટ ગુજરાત :ફિલ્મ નિર્માતાઓ,કલાકારો સાથે સીએમ ભુપેન્દ્ર પટેલે ચર્ચા કરી
વાઇબ્રન્ટ ગુજરાત :ફિલ્મ નિર્માતાઓ,કલાકારો સાથે સીએમ ભુપેન્દ્ર પટેલે ચર્ચા કરી

ગુજરાત સરકારે કરાર આધારિત કર્મચારી ઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. કરાર ના સમય દરમિયાન કર્મચારીનું મૃત્યુ થાય તો કર્મચારી ના પરિવારને આર્થિક સહાય પેટે 14 લાખની સહાય મળશે. જીહા…ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે આ મુદ્દે પરિપત્ર પણ જાહેર કર્યો છે. જે મુજબ કરારના સમયગાળા દરમિયાન મૃત્યુ પામનાર વર્ગ- 3 અને વર્ગ- 4ના ફિક્સ પગારના કર્મચારીઓનું મૃત્યુ થાય તો આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય આપવામાં આવશે.

નોંધનીય બાબત છે કે, લાંબા સમયથી કરાર આધારિત કર્મચારીઓને ફરજ દરમિયાન અવસાન પામે છે તો તેને સહાય આપવામાં આવી રહી હતી. જેમાં અગાઉ ઉચ્ચક 8 લાખ રૂપિયાની સહાયની જોગવાઈ કરવામાં આવી હતી. જે પર રાજ્ય સરકારે વિચારણા કરી નવા નિયમ હેઠળ 14 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

સામાન્ય વહિવટ વિભાગે પરિપત્ર જાહેર કર્યો
સામાન્ય વહિવટ વિભાગના સંયુક્ત સચિવ એચ કે ઠાકર દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે, રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ ખાતેની નિયમિત જગ્યા ઉપર ફિક્સ પગારની નીતિ અન્વયે કરારીય ધોરણે નિમણૂક પામેલા વર્ગ-3 અને વર્ગ 4ના કર્મચારીઓની ફિક્સ પગારની સેવા દરમિયાન 12 નવેમ્બર 2023 કે ત્યારબાદ થયેલા અવસાનના કિસ્સામાં રૂપિયા 14 લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવાની રહેશે. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ તેમજ ત્યારબાદ તે સંદર્ભે વખતો વખત થયેલા ઠરાવોની અન્ય તમામ જોગવાઈઓ/શરતો યથાવત રહેશે તેવું પણ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.

અગાઉ સરકારને કરાર આધારિત વર્ગ 3 અને વર્ગ 4 ના કર્મચારીઓને કાયમી કરવા અને યોગ્ય વેતનનો લાભ આપવા રજૂઆત કરાઇ હતી. રાજ્યમાં વર્ષોથી ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓને કોઈપણ કારણ વિના આ કર્મચારીઓને બરતરફ કરાયા હોવાની રજૂઆત કરાઇ હતી. તેમજ તેમનુ ફરજ દરમિયાન મૃત્યુ થાય તો પણ યોગ્ય સહાય મળે તેવી રજુઆત સરકારને કરવામાં આવી હતી. 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે