પ્રિયંકા ગાંધી અંગે સંજય રાઉતે શું કર્યો દાવો ?

0
45
સાંસદ સંજય રાઉતે કર્યાં મહારાષ્ટ્ર સરકાર પર આકરા પ્રહાર
સાંસદ સંજય રાઉતે કર્યાં મહારાષ્ટ્ર સરકાર પર આકરા પ્રહાર

શિવસેનાના નેતા સંજય રાઉતનો દાવો

પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડશે તો પીએમ મોદીને હરાવશે: સંજય રાઉત

રાયબરેલી, વારાણસી અને અમેઠીમાં ભાજપ માટે કપરી લડાઈ: સંજય રાઉત

પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડશે તો પીએમ મોદીને હરાવશે. આ દાવો સંજય રાઉતે કર્યો છે. ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથના શિવસેનાના નેતા સંજય રાઉતે દાવો કર્યો છે કે જો કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસીથી આગામી લોકસભા ચૂંટણી લડશે તો તેઓ ચોક્કસપણે જીતશે.રાઉતે કહ્યું કે વારાણસીના લોકો પ્રિયંકા ગાંધીને ઈચ્છે છે. જો તે વારાણસીથી પીએમ નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડશે તો ચોક્કસપણે જીતશે. આ ઉપરાંત રાયબરેલી, વારાણસી અને અમેઠીમાં ભાજપ માટે કપરી લડાઈ છે.

રાઉતે શરદ-અજીત  પવાર પર આપ્યું નિવેદન

શરદ પવાર અને અજિત પવાર વચ્ચે અવારનવાર થતી મુલાકાતો અંગે તેમણે કહ્યું કે જો પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળી શકે છે તો શરદ-અજિત કેમ નહીં? રાઉતે કહ્યું કે અમને મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે શરદ પવાર અને અજિત પવાર ગઈકાલે મળ્યા હતા. શરદ પવાર આ અંગે ટૂંક સમયમાં વાત કરશે. તેમણે કહ્યું કે મને લાગે છે કે શરદ પવારે અજિત પવારને ઈન્ડિયાની બેઠક માટે આમંત્રણ આપ્યું છે.

ડેપ્યુટી સીએમ ખુશ નથી

રાઉતે એમ પણ કહ્યું કે મહારાષ્ટ્રના બંને ડેપ્યુટી સીએમ પણ વર્તમાન સરકારથી ખુશ નથી. રાજકારણમાં કંઈ પણ થઈ શકે છે. અજિત પવાર, દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્રના લોકો આ વર્તમાન સરકારથી ખુશ નથી.

તાજેતરમાં NCP છોડી દીધી

શરદ પવારના ભત્રીજા અજિત પવાર અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના આઠ ધારાસભ્યો તાજેતરમાં ભાજપ-શિવસેના (એકનાથ શિંદે)ની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારમાં જોડાયા હતા. બાદમાં અજિત પવારે NCPના અનેક ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો હતો. ત્યારબાદ તેમણે રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. મહારાષ્ટ્રના બીજા નાયબ મુખ્યમંત્રી ભાજપના દેવેન્દ્ર ફડણવીસ છે.

વાંચો અહીં ઉત્તરાખંડમાં ભારે વરસાદ,કોલેજની ઈમારત ધરાશાયી


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.