Weather Update: છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીમાં શેકાઈ રહેલા રાજ્યના નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજથી તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાવાની શક્યતા છે. ભેજવાળા પવનો ફૂંકાવાને કારણે આકરા તાપની તીવ્રતામાં ઘટાડો થશે, જેનાથી લોકોને બફારા અને ગરમીથી થોડી શાંતિ મળશે.

Weather Update: તાપમાનમાં કેમ થશે ઘટાડો?
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, અત્યારે પવનોની દિશા બદલાઈ છે. દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફના પવન 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યા છે. આ ભેજવાળા પવનોને કારણે આગામી દિવસોમાં તાપમાનનો પારો નીચે ઉતરશે. જોકે, આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે.
Weather Update: અમદાવાદ અને રાજકોટની સ્થિતિ
છેલ્લા અઠવાડિયામાં અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરી જતાં બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા. રાજકોટમાં પણ તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા 2 ડિગ્રી વધારે છે. હાલમાં પણ રાજ્યના 7 જેટલા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર છે, પરંતુ હવે તેમાં ક્રમશઃ ઘટાડો જોવા મળશે.
મે મહિનામાં રેકોર્ડ તૂટવાની ભીતિ
હાલ એપ્રિલ મહિનો પૂરો થવાને આરે છે અને મે મહિનો શરૂ થવાનો છે. ગુજરાતમાં મે મહિનો સૌથી ગરમ ગણાય છે. વર્ષ 2016ના મે મહિનામાં અમદાવાદમાં 48.0°C અને કંડલામાં 48.4°C જેટલું વિક્રમી તાપમાન નોંધાયું હતું. નિષ્ણાતોના મતે, આગામી 24 કલાકમાં હીટવેવના ખતરાને જોતા પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જે આવનારા દિવસોમાં જૂના રેકોર્ડ તોડે તેવી પણ શક્યતા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કાળમુખી આગ: વૈષ્ણોદેવીથી પરત ફરતા એક જ પરિવારના 5 સભ્યો જીવતા સળગ્યા




