૩૦ મે ૨૦૨૩ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારને ૯ વર્ષ પુર્ણ કરી રહી છે.આ પ્રસંગે દાહોદમાં ૩૦ મે થી ૩૦ જુન ૨૦૨૩ સુધી ભાજપ સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમ તમામ જીલ્લા,મંડળ,શક્તિકેન્દ્ર અને બુથ ઉપર આયોજીત કરવામાં આવશે તથા વિશેષ જનસંપર્ક અભિયાન લોકસભા ક્ષેત્રોમાં યોજવામાં આવશે. આ અભિયાન અંતર્ગત દેશમાં વ્યાપક જનસંપર્કવરિષ્ઠ કાર્યકર્તા સંપર્ક,વગેરે જેવા લોકસભા,વિધાનસભા અને બુથ સ્તરના કાર્યક્રમો આયોજીત કરવામાં આવશે,જેના માધ્યમથી ‘મોદી સરકાર’ની નીતિઓ અને ઉપલબ્ધિઓને જનતા સુધી પહોચાડવામાં આવશે જે અભિયાન અંતર્ગત તારીખ ૧ જુન થી ૮ જુન દરેક વિધાનસભા મત વિસ્તારના પ્રભાવશાળી વ્યક્તિઓ વિશિષ્ટ પરિવારો સાથે સંપર્ક કરવામાં આવશે
Discover more from VR LIVE GUJARAT: Gujarat News
Subscribe to get the latest posts to your email.