વારાણસી જ્ઞાનવાપી કેસ:ASI સર્વેને અલ્હાબાદ હાઈકોર્ટેની લીલી ઝંડી

0
71
વારાણસી જ્ઞાનવાપી કેસ:ASI સર્વેને અલ્હાબાદ હાઈકોર્ટેની લીલી ઝંડી
વારાણસી જ્ઞાનવાપી કેસ:ASI સર્વેને અલ્હાબાદ હાઈકોર્ટેની લીલી ઝંડી

વારાણસી જ્ઞાનવાપી કેસ

અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી           

ASI સર્વેને અલ્હાબાદ હાઈકોર્ટેની લીલી ઝંડ

વારાણસીના જ્ઞાનવાપી કેમ્પસના ASI સર્વેને લઈને મુસ્લિમ પક્ષને મોટો આંચકો લાગ્યો છે. કોર્ટે ASI સર્વે પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે. અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજીને ફગાવીને કેમ્પસના ASI સર્વેને લીલી ઝંડી આપી દીધી છે. આ સાથે ASI સર્વેને તાત્કાલિક અસરથી અસરકારક બનાવવામાં આવ્યો છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પ્રિતીંકર દિવાકરની સિંગલ બેન્ચે આ ચુકાદો આપતાં મુસ્લિમ પક્ષની અરજીને ફગાવી દીધી છે.વારાણસી જ્ઞાનવાપી કેસમાં ASI સર્વે કરવામાં આવશે

મુસ્લિમ પક્ષે કહ્યું હતું કે સર્વેથી માળખાને નુકસાન થશે, ત્યારબાદ ASI દ્વારા એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી કે સર્વેથી કોઈ નુકસાન થશે નહીં, ત્યારબાદ અલ્હાબાદ હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો હતો. ASIએ કહ્યું કે જો ખોદવાની જરૂર પડશે તો પહેલા કોર્ટની પરવાનગી લેવામાં આવશે. કોર્ટના નિર્ણય બાદ જ્ઞાનવાપી કેમ્પસનો ASI સર્વે ગમે ત્યારે શરૂ કરી શકાશે. હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ જૈનના જણાવ્યા અનુસાર, કોર્ટે સ્વીકાર્યું છે કે સર્વે કોઈપણ તબક્કે શરૂ કરી શકાય છે.

મુસ્લિમ પક્ષે આ દલીલ કરી હતી

 21 જુલાઈએ, મુસ્લિમ પક્ષે જ્ઞાનવાપીનો સર્વે કરવાના જિલ્લા અદાલતના નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અને મસ્જિદના માળખાને નુકસાન થશે તેમ કહી સર્વે પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી હતી. મુસ્લિમ પક્ષે હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી શરૂ કરી દીધી છે. હિન્દુ પક્ષનું કહેવું છે કે વિવાદિત સ્થળ પહેલા મંદિર હતું. ઔરંગઝેબે મંદિર તોડીને મસ્જિદ બનાવી હતી. વિવાદિત પરિસરમાં હિંદુ ધર્મના પ્રતીકો આજે પણ છે. એડવોકેટ કમિશનના રિપોર્ટમાં પણ આ વાત સામે આવી છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ