Umreth Bypoll Strategy: ઉમરેઠ પેટાચૂંટણી, ક્ષત્રિય Vs ક્ષત્રિય જંગમાં પાટીદારો બનશે ‘કિંગમેકર’, શું ‘બોસ્કી’ ફેક્ટર ભાજપને ફળશે?

0
228
Umreth Bypoll Strategy
Umreth Bypoll Strategy

Umreth Bypoll Strategy: આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી હવે રાજકીય રીતે અત્યંત રસાકસીભરી બની ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ ક્ષત્રિય ઉમેદવારો મેદાનમાં ઉતારતા હવે આ બેઠક પર હાર-જીતનો દારોમદાર પાટીદાર મતદારો પર આવી ગયો છે. બીજી તરફ, જયંત પટેલ ‘બોસ્કી’ની એન્ટ્રીની અટકળોએ આ જંગને ત્રિપાખિયો બનાવવાની તૈયારી કરી દીધી છે.

Umreth Bypoll Strategy

Umreth Bypoll Strategy: ભાજપનું ‘વારસદાર’ કાર્ડ CMના ભાષણમાં સંકેત

ભાજપે સ્વ. ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપીને સહાનુભૂતિનો દાવ ખેલ્યો છે. તાજેતરમાં યોજાયેલી શક્તિપ્રદર્શન સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંબોધને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

  • ગોવિંદભાઈનો પ્રભાવ: CMએ પોતાના 5 મિનિટના ભાષણમાં સ્વ. ગોવિંદભાઈનું નામ 3 વાર લીધું, જ્યારે ઉમેદવાર હર્ષદનું નામ માત્ર 1 વાર લીધું.
  • વ્યૂહરચના: આ પરથી સ્પષ્ટ જણાય છે કે ભાજપ આ ચૂંટણી હર્ષદના નામે નહીં, પરંતુ ગોવિંદભાઈના કરેલા કાર્યો અને તેમની છબીને કેન્દ્રમાં રાખીને લડી રહી છે.
Umreth Bypoll Strategy

Umreth Bypoll Strategy: કોંગ્રેસનો ‘લોકલ’ ચહેરો અને મુદ્દાઓ પર ફોકસ

કોંગ્રેસે આ વખતે સહકારી ક્ષેત્રના જાણીતા ચહેરા અને ત્રણ વખત તાલુકા પંચાયત પ્રમુખ રહી ચૂકેલા ભૃગુરાજસિંહ ચૌહાણ પર ભરોસો મૂક્યો છે.

  • રણનીતિ: કોંગ્રેસ મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોના પ્રશ્નો ઉઠાવી રહી છે.
  • લક્ષ્ય: કોંગ્રેસનો પ્રયાસ ક્ષત્રિય અને મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લીડ મેળવવાનો છે.

Umreth Bypoll Strategy: પાટીદાર મતદારો અસલી ‘કિંગમેકર’

ઉમરેઠમાં અંદાજે 2.74 લાખ મતદારો છે, જેમાં ક્ષત્રિય મતદારો 40-45% અને પાટીદાર મતદારો 20-22% છે.

  • ગણિત: જ્યારે બંને મુખ્ય પક્ષોએ ક્ષત્રિય ઉમેદવારો ઉતાર્યા હોય, ત્યારે પાટીદાર મતો જે તરફ ઢળશે, તે ઉમેદવારનો વિજય નિશ્ચિત બનશે. જો પાટીદારો ભાજપ સાથે અકબંધ રહે તો કેસરીયો લહેરાશે, પરંતુ જો મતોમાં વિભાજન થયું તો પરિણામ ઉલટું આવી શકે છે.

Umreth Bypoll Strategy: ‘બોસ્કી’ ફેક્ટર ચૂંટણીનો સૌથી મોટો ટ્વિસ્ટ

જયંત પટેલ ‘બોસ્કી’એ ચૂંટણી લડવાની જાહેરાત કરીને રાજકીય ગરમાવો વધારી દીધો છે.

  • અસર: બોસ્કીનો ભાલેજ, ઓડ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોટો પ્રભાવ છે.
  • કોને ફાયદો?: જો બોસ્કી મેદાનમાં ઉતરે તો તે મુખ્યત્વે કોંગ્રેસની વોટબેંકમાં ગાબડું પાડી શકે છે, જેનો સીધો અને પરોક્ષ ફાયદો ભાજપને થઈ શકે છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની લીડ ઘટીને 15 હજારની આસપાસ રહી હતી, જે ભાજપ માટે ચિંતાનો વિષય છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ગઢડામાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ પશુને માર મારવાની નજીવી બાબતે મામલો બિચક્યો, 11 સામે ફરિયાદ