Tragedy in Gandhinagar: ગુજરાતના સ્થાપના દિવસની વહેલી સવારે ગાંધીનગરના ચિલોડા ગામમાં એક હચમચાવતી ઘટના સામે આવી છે. ગામના સીમાડે આવેલા સરકારી બોર કુવા પાસે એક પ્રેમી યુગલે વૃક્ષ પર એક જ સાડી વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

Tragedy in Gandhinagar: શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, ચિલોડા ગામમાં રહેતા એક પુરુષ અને પરણીત મહિલા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધ હતો. આજે (1 મે) વહેલી સવારે જ્યારે ગ્રામજનો ખેતરો તરફ જઈ રહ્યા હતા, ત્યારે સરકારી બોર પાસેના એક વૃક્ષ પર બંનેના મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યા હતા.
Tragedy in Gandhinagar: પરિવારમાં શોકનું મોજું
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક મહિલા પરણીત હતી. તેનો પતિ છૂટક મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. આઘાતજનક વાત એ છે કે આ દંપતીની એક દીકરીના લગ્ન પણ થઈ ચૂક્યા છે. ભર્યાભાદર પરિવાર વચ્ચે મહિલાએ પ્રેમી સાથે આવું અંતિમ પગલું ભરતા અનેક સવાલો ઉભા થયા છે.
Tragedy in Gandhinagar: પોલીસ તપાસ અને લોકચર્ચા
ઘટનાની જાણ થતા જ ચિલોડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થિતિની ગંભીરતા જોઈ FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) અને મામલતદારને પણ સ્થળ પર બોલાવ્યા હતા.
- આત્મહત્યાનું કારણ: લોકમુખે ચર્ચા છે કે સામાજિક મર્યાદાઓ અને ભવિષ્યમાં સાથે નહીં રહી શકાય તેવા ડરને કારણે બંનેએ એકસાથે મોતને વહાલું કર્યું છે.
- પોલીસ કાર્યવાહી: પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાએ ચિલોડા સહિત આસપાસના ગામોમાં ભારે ચર્ચા જગાવી છે. એક તરફ રાજ્યમાં ઉત્સવનો માહોલ છે ત્યારે બીજી તરફ આ કરુણ ઘટનાએ શોક ફેલાવ્યો છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




