સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૦૨ ગોધરાકાંડ કેસમાં સાબરમતી એક્સપ્રેસને આગ લગાવનારા ૮ દોષિતોને જામીન આપી દીધા છે, જ્યારે ૪ દોષિતને જામીન નથી મળ્યા. આ તમામ દોષિત ૧૭થી ૨૦ વર્ષ સુધીની સજા કાપી ચૂક્યા છે. મહત્વનું છે કે, 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા સ્ટેશન પર હિંસક ટોળાં દ્વારા સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S-6 ડબ્બામાં આગચંપી કરી દેવાઇ હતી. આ ઘટનામાં અંદાજે 59 કારસેવકોના મોત થયા હતા, ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં ભારે રમખાણો થયા હતા.