Spirit of Unity in Bhavnagar: આગામી દિવસોમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભાવનગરમાં અત્યારથી જ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉત્સવના પૂર્વ સંધ્યાએ ભાવનગર પોલીસ દ્વારા ‘સુરક્ષા સેતુ સોસાયટી’ અંતર્ગત એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ મહાનિર્દેશક (ભાવનગર વિભાગ) અને પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ‘જગન્નાથજી રથયાત્રા’ની થીમ પર એક ભવ્ય મહેંદી સ્પર્ધા યોજાઈ હતી.
Spirit of Unity in Bhavnagar: વિવિધ કેટેગરીમાં કલાનું પ્રદર્શન

આ સ્પર્ધામાં સ્પર્ધકોની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે ત્રણ મુખ્ય વિભાગો રાખવામાં આવ્યા હતા:
- પરંપરાગત બ્રાઇડલ મહેંદી
- અરેબિક અને ઇન્ડો-વેસ્ટર્ન મહેંદી
- રથયાત્રા થીમ આધારિત મહેંદી
સ્પર્ધકોએ પોતાની કલા દ્વારા મહેંદીમાં ભગવાન જગન્નાથજીના રથ, રથયાત્રાના દ્રશ્યો અને ધાર્મિક પ્રતીકોને ખૂબ જ સુંદર રીતે કંડાર્યા હતા.
Spirit of Unity in Bhavnagar: સામાજિક સમરસતા અને એકતાનો સંદેશ

આ કાર્યક્રમનું સૌથી આકર્ષક પાસું એ રહ્યું કે તેમાં હિન્દુ સમાજની બહેનોની સાથે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજની બહેનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધાએ શહેરની ગંગા-જમુની સંસ્કૃતિને જીવંત કરી હતી અને કોમી એકતા તથા ભાઈચારાનો સંદેશ ફેલાવ્યો હતો.
પોલીસ તંત્રના આ પ્રજાલક્ષી અભિગમને કારણે નાગરિકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધવાની સાથે તહેવારના માહોલમાં ખુશીઓનું વાતાવરણ છવાઈ ગયું હતું. આ સ્પર્ધામાં વિજેતા બનેલા સ્પર્ધકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સાવરકુંડલાના આંબરડી ગામમાં આખલાઓનો આતંક: યુદ્ધ વચ્ચે ફસાઈ ધારાસભ્યની કાર




