કાયદા રાજ્યમંત્રી પદેથી એસ.પી. સિંહ બઘેલને હટાવાયા

0
105

એસ.પી. સિંહ બઘેલને આરોગ્ય મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી બનાવાયા

કેન્દ્રીય કાયદા મંત્રી પદેથી કિરણ રીજીજુને હટાવ્યા બાદ મોદી સરકારે ફરી એક મોટો નિર્ણય લીધો છે. રિજુજી બાદ તેમના ડેપ્યુટીનું પણ મંત્રાલય બદલવામાં આવ્યું છે. કાયદા રાજ્યમંત્રી પદેથી એસ.પી. સિંહ બઘેલને પણ હટાવવામાં આવ્યા છે. એસ.પી સિંહ બઘેલને આરોગ્ય મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકારના આ નિર્ણયથી રાજકીય ગલીયારામાં અનેક ચર્ચાઓ થઇ રહી છે.