Sengol  : જાણો શું છે સેંગોલ ? જાણો કેમ વિપક્ષ તેને સંસદમાંથી હટાવવાની માંગ કરે છે ?

0
122
Sengol
Sengol

Sengol  : લોકસભાનું સત્ર ચાલી રહ્યું છે અને લોકસભા સત્ર દરમ્યાન સેંગોલનો મુદ્દો ફરીવાર ચર્ચામાં આવ્યો છે. યુપીના મોહનલાલ ગંજના સાંસદ આરકે ચૌધરીએ લોકસભામાં સેંગોલનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમની પાસે એક પત્ર હતો, જેમાં પ્રોટેમ અને સ્પીકરનો સમાવેશ થતો હતો. જેમાં તેણે તેને સંસદની બહાર કાઢીને  તેની જગ્યાએ બંધારણની મોટી નકલ લગાવવાની માંગ કરી છે. સપા સાંસદે પ્રોટેમ સ્પીકર અને સ્પીકરને પત્ર લખીને કહ્યું કે આજે મેં સન્માનિત ગૃહમાં તમારી સામે સભ્ય તરીકે શપથ લીધા છે. પરંતુ ગૃહમાં બેન્ચની બરાબર પાછળ સેંગોલને જોઈને મને આશ્ચર્ય થયું. સર, સેંગોલ એ રાજાશાહીનું પ્રતીક છે, જ્યારે આપણું બંધારણ ભારતીય લોકશાહીનું પવિત્ર પુસ્તક છે. 

Sengol  

Sengol  : આપણી સંસદ એ કોઈ રાજા કે રજવાડાનો મહેલ નથી, લોકશાહીનો ભંડાર છે. આવી સ્થિતિમાં, હું તમને વિનંતી કરવા માંગુ છું કે સેંગોલને સંસદ ભવનમાંથી બહાર કાઢી અને તેની જગ્યાએ ભારતીય બંધારણની મોટી પ્રતિમા લગાવો. ગુરુવારે, આમ આદમી પાર્ટી (AAP) ના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે બંધારણની નકલ બચાવવી એ વધુ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે અમારો પક્ષ સમાજવાદી પાર્ટીના સાંસદની માંગનું સમર્થન કરે છે.

Sengol  

Sengol  : લોકસભા શરૂ થતાં  ફરી સેંગોલ ચર્ચામાં આવ્યો છે. શું છે આ સેંગોલ એની વિગતો જાણીએ તો ચોલ વંશના સમયથી આવા રાજદંડનો ઉપયોગ રાજાઓના રાજ્યાભિષેકમાં થતો હતો. તે ઔપચારિક ભાલા તરીકે સેવા આપતું હતું અને સત્તાનું પવિત્ર પ્રતીક માનવામાં આવતું હતું, જે એક શાસકથી બીજામાં સત્તાના સ્થાનાંતરણનું પ્રતિનિધિત્વ કરે છે. જેને ‘સેન્ગોલ’ આપવામાં આવે છે તે ન્યાયી અને નિષ્પક્ષ શાસનની અપેક્ષા રાખે છે.

Sengol  

સેંગોલનો ઈતિહાસ ઘણો જૂનો છે અને તે આપણા ઈતિહાસમાં અલગ સ્થાન ધરાવે છે. પરંતુ આજ સુધી આપણને તેનાથી દૂર રાખવામાં આવ્યા હતા. હવે સેંગોલને પણ નવા સંસદ ભવનનાં  રાખવામાં આવ્યો છે . 14 ઓગસ્ટ 1947ના રોજ ભારતમાં સત્તાનું ટ્રાન્સફર થયું ત્યારે આ સેંગોલ દ્વારા કરવામાં આવ્યું હતું. એક રીતે, તે સત્તાના હસ્તાંતરણ અને ભારતની સ્વતંત્રતાનું પ્રતીક છે. શું તમે જાણો છોકે, આ સેંગોલ શું છે? તેની રચના કોણે કરી હતી? આ સેંગોલ શેનું પ્રતીક છે? શા માટે તેને નવા સંસદ ભવનમાં સ્થાન આપવામાં આવ્યું છે ?  આવા તમામ સવાલોના જવાબો આજે અમે તમને આપવા જઈ રહ્યા છીએ .

વાસ્તવમાં સેંગોલ એ એક આઝાદીનું પ્રતીક છે. ભારતના ગૌરવ અને સન્માન સાથે તે જોડાયેલું છે. ઈતિહાસકારો અનુસાર ચૌલ વંશ ભગવાન શિવનો પરમ ભક્ત હતો. તેથી જ રાજદંડ પર તેમના પરમ ભક્ત નંદીની આકૃતિ હતી.

Sengol  : સેંગોલ શું છે?

Sengol  


Sengol  : સેંગોલને પ્રામાણિકતાના રાજદંડ તરીકે મહત્વ આપવામાં આવ્યું છે. તે ભારતની વિવિધતા અને એક મહાન રાષ્ટ્રના જન્મની યાદ અપાવે છે. પાંચ ફૂટ લંબાઈના આ સોનાના કોટેડ ચાંદીના રાજદંડમાં ટોચ પર એક જટિલ કોતરણીવાળો ‘નંદી’ છે, જે ન્યાયના ખ્યાલને રજૂ કરવા માટે છે. તે 1947 માં સ્વતંત્રતા સમયે બનાવવામાં આવ્યો હતો. જ્યારે અંગ્રેજોએ ભારતને સત્તા સોંપી હતી. તે ચેન્નાઈના વિખ્યાત જ્વેલર્સ, વુમ્મિડી બંગારુ જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવ્યો હતો. સેંગોલની ઉત્પત્તિ તમિલ ઇતિહાસ અને પરંપરાઓમાંથી શોધી શકાય છે અને જે ‘સત્તા અને ન્યાય’નું પ્રતિનિધિત્વ કરે છે,  

Sengol  : કેમ આટલું અપાય છે મહત્વ?

Sengol  


Sengol  : સેંગોલ એ લાકડીના આકારમાં એક રાજદંડ છે. આ રાજાની શાહી શક્તિનું પ્રતીક છે. સેંગોલને ભારતીય હાથમાં સત્તાના હસ્તાંતરણનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે. ચોલ વંશના સમયથી આવા રાજદંડનો ઉપયોગ રાજાઓના રાજ્યાભિષેકમાં થતો હતો. તે ઔપચારિક ભાલા તરીકે સેવા આપતું હતું અને સત્તાનું પવિત્ર પ્રતીક માનવામાં આવતું હતું, જે એક શાસકથી બીજામાં સત્તાના સ્થાનાંતરણનું પ્રતિનિધિત્વ કરે છે. જેને ‘સેન્ગોલ’ આપવામાં આવતું હતું. તે ન્યાયી અને નિષ્પક્ષ શાસનની અપેક્ષા રાખે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો