Semiconductor Revolution in Gujarat: ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના મિશનમાં ગુજરાત લીડર તરીકે ઉભરી આવ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત ‘ગુજરાત સેમિકનેક્ટ કૉન્ફરન્સ 2026′ માં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, વર્ષ 2026ના અંત સુધીમાં દેશમાં કુલ ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થઈ જશે.
Semiconductor Revolution in Gujarat: વર્ષ 2026: સેમિકન્ડક્ટર ક્રાંતિનું વર્ષ

કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી હતી કે કુલ આયોજિત 10 પ્લાન્ટ પૈકી સાણંદના પ્લાન્ટનું ઉદ્ઘાટન 28 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થઈ ચૂક્યું છે. હવે આગામી સમયમાં:
- વધુ 3 નવા પ્લાન્ટમાં ચિપનું ઉત્પાદન શરૂ થશે.
- વર્ષ 2026માં જ કુલ 4 પ્લાન્ટ કાર્યરત થઈ જશે.
- ધોલેરા ખાતે ટાટાની ફેબ (Tata’s Fab) ની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવશે.
Semiconductor Revolution in Gujarat: નવી STI નીતિ (2026-2031) નું અનાવરણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અશ્વિની વૈષ્ણવ દ્વારા ગુજરાત સરકારની નવી સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન (STI) નીતિ 2026-2031 નું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ નીતિ રાજ્યમાં સંશોધન અને ટેકનોલોજીકલ વિકાસને નવી ઊંચાઈએ લઈ જશે.
“ધોલેરા SIR હવે માત્ર બ્લૂપ્રિન્ટ નથી, પરંતુ દેશનું સેમિકોન સિટી બનવા સજ્જ છે. પ્લગ એન્ડ પ્લે સુવિધાઓ અને આધુનિક લોજિસ્ટિક્સ સાથે એન્ડ-ટુ-એન્ડ ઇકોસિસ્ટમ તૈયાર છે.” — ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી, ગુજરાત
કોન્ફરન્સની મુખ્ય વિશેષતાઓ:

- થીમ: ‘ગુજરાત: ભારતનું સિલિકોન ગેટવે’.
- આંતરરાષ્ટ્રીય સહયોગ: જાપાન અને તાઈવાન જેવા દેશો સાથે સહયોગ વધારવા ‘કન્ટ્રી રાઉન્ડ ટેબલ’ બેઠકનું આયોજન.
- સ્કિલ ડેવલપમેન્ટ: IIT ગાંધીનગરમાં નેનો ફેબ્રિકેશન લેબ દ્વારા યુવા વર્કફોર્સ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
- ઉપસ્થિતિ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સાયન્સ-ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા સહિત ઉદ્યોગ જગતના માંધાતાઓ હાજર રહ્યા હતા.
મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે કોવિડ દરમિયાન જે સપ્લાય ચેઇનની સમસ્યા સર્જાઈ હતી, તેને વડાપ્રધાન મોદીએ એક અવસરમાં બદલી નાખી છે, જેના પરિણામે આજે ભારત વિશ્વના સેમિકન્ડક્ટર મેપ પર ચમકી રહ્યું છે.
આ કોન્ફરન્સ 2 માર્ચ સુધી ચાલશે, જેમાં મેન્યુફેક્ચરિંગ, ફાઇનાન્સ અને ફ્યુચર સ્કિલ્સ જેવા વિષયો પર ગહન ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો :ઈરાન–ઇઝરાયલ યુદ્ધ વચ્ચે મોટા સમાચાર : વડાપ્રધાન મોદીએ આજે રાત્રે CCSની બેઠક બોલાવી




