Rivaba jadeja : ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેમની પત્ની જામનગર નોર્થના ધારાસભ્ય તથા રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંસદ ભવન ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બંનેએ વડાપ્રધાન સાથે દેશના વિકાસ, શિક્ષણ અને સંસ્કૃતિ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

Rivaba jadeja એ કહ્યું અમારા માટે ગર્વની ક્ષણ
મુલાકાત દરમિયાન રવિન્દ્ર જાડેજાએ વડાપ્રધાનને પુષ્પગુચ્છ અર્પણ કર્યો હતો, જ્યારે રિવાબા જાડેજાએ તેમને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. રિવાબાએ આ મુલાકાતને ગર્વની ક્ષણ ગણાવી હતી. બંનેએ મુલાકાતની તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતાં આ પ્રસંગને યાદગાર ગણાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે રિવાબા જાડેજાએ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી જામનગર નોર્થ બેઠક પરથી ભવ્ય જીત મેળવી હતી. તેમને 84,336 મત મળ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવારને મોટા અંતરથી હરાવ્યા હતા. હાલ તેઓ રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.

આ પહેલા પણ વર્ષ 2023માં જાડેજા દંપતીએ વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. રવિન્દ્ર જાડેજા જામનગરના રહેવાસી છે અને સામાન્ય પરિવારથી આવી ભારતીય ક્રિકેટ ટીમમાં મહત્વનું સ્થાન બનાવ્યું છે. તેમની સંઘર્ષભરી સફર આજે અનેક યુવાનો માટે પ્રેરણારૂપ બની છે.
આ મુલાકાતને લઈને ગુજરાતના રાજકીય તથા સામાજિક વર્તુળોમાં વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે.
વધારે સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો




