Rekha Jhunjhunwala: રેખા ઝુનઝુનવાલા- ભારતની ત્રીજી સૌથી ધનિક મહિલા, જેણે દરિયાના નજારા માટે આખી ઇમારત ખરીદી દીધી

0
150
Rekha Jhunjhunwala
Rekha Jhunjhunwala

Rekha Jhunjhunwala: ફોર્બ્સ અનુસાર, રેખા ઝુનઝુનવાલા $8.0 બિલિયન (અંદાજે રૂ. 66,000 કરોડ)ની નેટવર્થ સાથે ભારતની ત્રીજી સૌથી ધનિક મહિલા છે.

Rekha Jhunjhunwala: કેવી રીતે બન્યા સૌથી ધનિક મહિલાઓમાંની એક

રાકેશ ઝુનઝુનવાલાના 2022 માં અવસાન પછી, તેમનો વ્યાપક સ્ટોક પોર્ટફોલિયો તેમને  વારસામાં મળ્યો છે, જેનાથી તેણી ભારતની સૌથી ધનિક મહિલાઓમાંની એક બની. તેમના રોકાણ પોર્ટફોલિયોમાં ટાટા મોટર્સ અને ટાઇટન સહિત 29 કંપનીઓમાં હિસ્સો સામેલ છે.

તાજેતરમાં, મલબાર હિલમાં તેમના નિવાસસ્થાનથી સમુદ્રનું સુંદર દૃશ્ય જોવા માટે, રેખા ઝુનઝુનવાલાએ એક બિલ્ડિંગની અંદરના મોટાભાગના એકમો રૂ. 118 કરોડમાં પોતાના હસ્તગત કર્યા હોવાના અહેવાલ છે.

ઝુનઝુનવાલાના રેર વિલા નિવાસ (RARE Villa residence) ની પાછળ સ્થિત રોકસાઈડ CHS, ક્લસ્ટર યોજના હેઠળ રીડેવલોપમેન્ટ માટે નિયુક્ત કરવામાં આવી હતી. ડેવલપર શાપૂરજી પલોનજીએ એક કોમર્શિયલ પ્રસ્તાવ મૂક્યો હતો જેમાં દરેક મકાનમાલિકને રિડેવલપ થયેલા ફ્લેટમાં લગભગ 50 ટકા વધારાનો કાર્પેટ એરિયા મળશે.

આ દરેક એપાર્ટમેન્ટનું સરેરાશ ક્ષેત્રફળ 2100 ચોરસ ફૂટ છે.એક ઓફિસિયલ વેબ સાઇટ દ્વારા પ્રાપ્ત દસ્તાવેજો અનુસાર, ઝુનઝુનવાલા પરિવારે એકલા સ્ટેમ્પ ડ્યુટીમાં રૂ. 9.02 કરોડથી વધુની ચૂકવણી કરી છે.

રીડેવલોપમેન્ટને કારણે રેર વિલા (Rekha Jhunjhunwala’s House)માંથી સમુદ્રનો નજારો જોવામાં અવરોધ ઊભો થયો હશે તેની નોંધ લેતા, ઝુનઝુનવાલાએ જૂની ઇમારતના લગભગ દરેક યુનિટને ખરીદી લીધા. નોંધણી દસ્તાવેજો અનુસાર, ઝુનઝુનવાલાએ નવેમ્બર 2023 થી વિવિધ સંસ્થાઓ દ્વારા કુલ રૂ. 118 કરોડના નવ એપાર્ટમેન્ટ ખરીદ્યા હતા.

દેશના સૌથી મોટા કોમર્શિયલ ઓફિસ સોદાઓમાંની એક ડીલ

અગાઉ નવેમ્બર 2023 માં, ઝુનઝુનવાલા સંચાલિત ફર્મ Kinntisto LLP એ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને ચાંદીવલી વિસ્તારમાં આશરે રૂ. 739 કરોડમાં 1.94 લાખ ચોરસ ફૂટની કોમર્શિયલ ઓફિસ સ્પેસ ખરીદી હતી, જે દેશના સૌથી મોટા કોમર્શિયલ ઓફિસ સોદાઓમાંની એક હતી.

કોણ છે રાકેશ ઝુનઝુનવાલા? (Who is Rekha Jhunjhunwala ?)

Rekha Jhunjhunwala1 1

મુંબઈ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલી રેખાએ 1987માં રાકેશ ઝુનઝુનવાલા સાથે લગ્ન કર્યા, જેની સાથે તેણીને ત્રણ બાળકો છે – નિષ્ઠા અને જોડિયા આર્યમન અને આર્યવીર. રાકેશ ઝુનઝુનવાલાનું 14 ઓગસ્ટ, 2022ના રોજ 62 વર્ષની વયે અવસાન થયું હતું. તેમના મૃત્યુ સમયે, તેમની કિંમત $5 બિલિયન (અંદાજે રૂ. 41,000 કરોડ) હતી.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો