RBI હવે શોધી લેશે દાવા વિનાની થાપણો અંગેની વિગતો

0
130

ભારતમાં આશરે રૂ. 35,000 કરોડની દાવા વગરની થાપણો

RBI મોનેટરી પોલિસી 2023 હેઠળ હવે દાવા કર્યા વિનાની થાપણો RBI શોધી લેશે.  આવી ઘણી થાપણો ઘણા વર્ષોથી ભારતની બેંકોમાં પડેલી છે, જેના માટે કોઈ દાવો કરવામાં આવ્યો નથી. આ રકમનો દાવો ન કરવા પાછળ વિવિધ કારણો હોઈ શકે છે, જેમ કે થાપણદારનું અચાનક મૃત્યુ, નોમિનીનું નામ ઉપલબ્ધ ન હોવું અથવા થાપણદારના મૃત્યુ પછી, તેના પરિવારના સભ્યોને તેની જાણ ન હોય. જો કે, હવે આવી થાપણો સરળતાથી શોધી શકાય છે. રિઝર્વ બેંકે ગુરુવારે વિવિધ બેંકોમાં થાપણદારો અથવા તેમના લાભાર્થીઓ દ્વારા રાખવામાં આવેલી દાવા વગરની થાપણોની વિગતો મેળવવા માટે કેન્દ્રીયકૃત પોર્ટલની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે વર્તમાન નાણાકીય વર્ષ માટેની પ્રથમ દ્વિ-માસિક નાણાકીય નીતિની જાહેરાત કરતા વેબ પોર્ટલ શરૂ કરવાની જાહેરાત કરી હતી.દાવા વગરની થાપણોની વિગતો ફેબ્રુઆરીમાં જ લેવામાં આવી હતી. જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા ફેબ્રુઆરી 2023 સુધીમાં RBIને આશરે રૂ. 35,000 કરોડની દાવા વગરની થાપણોની વિગતો મોકલવામાં આવી હતી. આમાં એવા ખાતાઓનો સમાવેશ થાય છે જે 10 વર્ષ કે તેથી વધુ સમયથી કાર્યરત ન હતા.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.