રથયાત્રા પછી ગજરાજને માર #rathyatra #gajraj #elephant #rathyatra2025 #jagganathyatra #ahmedabadhagganathyatra – અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા સંપન્ન થયા બાદ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
અમદાવાદ: રથયાત્રા પછી ગજરાજને માર મારતો વિડીયો વાયરલ
જેમાં રથયાત્રાના એક ગજરાજને માર મારવામાં આવી રહ્યો હોવાનું દેખાઈ રહ્યું છે. જોકે, વી આર લાઇવ ન્યુઝ ચેનલ આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતી નથી, તેમજ આ વીડિયો કયા સમયનો છે તે પણ સ્પષ્ટ થયું નથી. વાયરલ વીડિયોમાં એક મહાવત ગજરાજને માર મારતો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
વીડિયોમાં મહાવત ગજરાજને માર મારતા સ્પષ્ટ જોવા મળ્યું
આ વીડિયો રથયાત્રા દરમિયાન ગજરાજ બેકાબૂ બન્યા પછીનો છે કે તે પહેલાનો, તે અંગે કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. આ વીડિયો સામે આવ્યા બાદ અનેક સવાલો ઉભા થયા છે. ભગવાન જગન્નાથની રથયાત્રાની આગેવાની કરનાર ગજરાજ સાથે આવું અમાનવીય વર્તન શા માટે? અબોલ પશુને આ રીતે માર મારવાનું કારણ શું છે?



રથયાત્રા પછી ગજરાજને માર
આવા કૃત્ય કરનારાઓ સામે શું કાર્યવાહી થશે? જેવા પ્રશ્નો લોકોના મનમાં ઘૂમરાઈ રહ્યા છે. આ વીડિયો જો વાસ્તવિક હોય અને રથયાત્રાના હાથી સાથે આવા અત્યાચાર થયા હોય, તો તે અત્યંત નિંદનીય છે અને પશુકલ્યાણ સંસ્થાઓ તેમજ તંત્ર દ્વારા આ મામલે ગંભીરતાથી તપાસ થવી જોઈએ.
વીડિયો સામે આવ્યા બાદ અનેક સવાલો થયા ઉભા
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે