Home Breaking News RAJKOT : 36 કલાક બાદ 4 મૃતદેહો સોંપાયા, DNA રીપોર્ટ આવવાના શરુ...

RAJKOT : 36 કલાક બાદ 4 મૃતદેહો સોંપાયા, DNA રીપોર્ટ આવવાના શરુ   

0
1301
RAJKOT
RAJKOT

RAJKOT :  રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં આગ ફાટી નીકળતાં 28થી વધુ લોકોના મોત થયાં હતા. આ આગમાં લોકો એટલી હદે બળ્યાં છે કે, તેમની ઓળખ DNA દ્વારા કરવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલ બહાર પોતાના  સ્વજનની જાણકારી માટે લોકો તળવળી રહ્યાં છે અને તંત્ર પર રોષ ઠાલવી રહ્યાં છે. ત્યારે આજે 4 લોકોના  DNA મેચ થતા તેમના પરિવારજનોને મૃતદેહ સોંપી દેવામાં આવ્યા છે.

RAJKOT

RAJKOT : રાજકોટ શહેરના નાનામૌવા નજીક આવેલ ટીઆરપી ગેમઝોનમાં આગકાંડમાં 9 બાળકો સહિત 28 વ્યક્તિ કાળનો કોળિયો બની ગઈ છે ત્યારે જીવતા જ આગમાં ભુંજાઈ ગયેલા લોકોના મૃતદેહ પરિવારને સોંપવા માટે તંત્ર દ્વારા ડીએનએ મેચીંગની કાર્યવાહી શરૂ કરી હતી જેના 36 કલાક બાદ રિપોર્ટ આવવાની શરૂઆત થતાં આજે સવારે ચાર મૃતદેહ પરિવારજનોને અંતિમવિધી માટે સોપાતા ભારે કરૂણ દ્રષ્યો સર્જાયા છે.

RAJKOT

RAJKOT : ડીએનએ મેચ થયા બાદ 36 કલાકના અંતે મૃતદેહ સોંપવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી. જેમાં આજે સવારે 4 મૃતદેહ સોંપવામાં આવેલ છે. જેમાં ઉપલેટા બસ્ટેન્ડ પાસે રહેતા અને ગેમઝોનમાં રમવા માટે આવેલા સ્મીત મનીષભાઈ વાળા ઉ.વ.22 નામના ધોબી યુવાનની ઓળખ થઈ જતા તેના પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો છે. બે ભાઈમાં નાનો સ્મીત પાનની દુકાને બેસતો હતો અને મિત્રો સાથે ગેમઝોનમાં રમવા માટે આવ્યો હતો.

RAJKOT

આ ઉપરાંત એરપોર્ટ રોડ ઉપર રહેતા અને ટીઆરપી ગેમઝોનમાં નોકરી કરતા સુનિલ હસમુખભાઈ સિધ્ધપુરા ઉ.વ.38 નામના સોની યુવાનની ઓળખ થઈ જતા આજે સવારે પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. બે ભાઈમાં નાના સુનિલે બપોરે પોતાની પત્ની સાથે છેલ્લી વાતચીત કરી હતી જેમાં રાત્રે 10 વાગ્યે આવી જઈશ તેમ કહ્યું હતું પરંતુ આ યુવાનનો મૃતદેહ જ ઘરે પહોંચતા એકના એક પુત્રી સહિતના પરિવારજનોના કરૂણ આક્રંદથી ગમગીની છવાઈ હતી.

RAJKOT : શનિવાર બન્યો કાળમુખો

RAJKOT

શનિવારે સાંજે રાજકોટના કાલાવડ રોડ ઉપર નાનામવા નજીક આવેલ ટીઆરપી ગેમઝોનમાં વેલ્ડિંગ કામ કરતી વેળાએ લાગેલી ભીષણ આગે ગણતરીની સેકંડોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. નજરે જોનાર લોકોના કહેવા પ્રમાણે 60 સેકંડમાં જ આગે રૌદ્રસ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સમગ્ર ગેમઝોનમાં વિકરાળ આગ પ્રસરી ગઈ હતી.જેમાં 28 લોકોના મોત નીપજ્યા હતા.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે