Raj Thackeray : ‘રાજ ઠાકરે રાષ્ટ્રની માફી માગે…’, ગુજરાતભરમાં રોષ! નેતાઓની પ્રતિક્રિયાRajThackerayControversy #SardarPatelInsult #GujaratVsRajThackeray

0
85

Raj Thackeray : ગુજરાતીઓની પહેલાથી જ  મુંબઈ  પર  નજર

Raj Thackeray : મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં (MNS) પ્રમુખ રાજ ઠાકરે એ 18 જુલાઈ, 2025 ના રોજ મીરા ભાયંદર ખાતે યોજાયેલી એક જાહેર સભામાં આપેલા વિવાદિત નિવેદન બાદ ગુજરાતીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજ ઠાકરેનાં નિવેદન બાદ હવે ગુજરાતમાં એક બાદ એક નેતાની પ્રતિક્રિયા સામે આવી રહી છે. પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા (Alpesh Kathiriya), એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ અને ભાજપ પ્રવક્તા ઋત્વિજ પટેલે આ અંગે નિવેદન આપ્યું છે.

Raj Thackeray : રાજ ઠાકરેનું ગુજરાતીઓ, સરદાર પટેલ, મોરારજી દેસાઈ અંગે વિવાદિત નિવેદન

જણાવી દઈએ કે, રાજ ઠકારેએ (Raj Thackeray) જાહેર સભામાં આરોપ લગાવી કહ્યું હતું કે, ગુજરાતી વેપારીઓ અને નેતાઓ દ્વારા મુંબઈને (Mumbai) મહારાષ્ટ્રથી અલગ કરવાનાં પ્રયાસો થયા હતા. ઉપરાંત, રાજ ઠાકરે એ સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel) અને પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇ (Morarji Desai) પર પણ વિવાદિત ટિપ્પણી કરી હતી. રાજ ઠાકરેનાં નિવેદન અંગે પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, રાજ ઠાકરે એ સરદાર પટેલ અને મોરારજી દેસાઈનું અપમાન કર્યું છે. આ મહાપુરુષોનું જ નહીં પણ રાષ્ટ્રનું અપમાન છે. આ અપમાન ક્યારેય ચલાવી નહી લેવામાં આવે.

Raj Thackeray : આવી ટિપ્પ્ણી બદલ રાષ્ટ્રની માફી માગવી જોઈએ : અલ્પેશ કથીરિયા

અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, હું તેમના નિવેદનને ખૂબ મજબૂતાઈથી વખોડું છું. રાજ ઠાકરે એ આવી ટિપ્પ્ણી બદલ રાષ્ટ્રની માફી માગવી જોઈએ. સાથે જ ભવિષ્યમાં આવી રીતે મહાપુરુષનું અપમાન ન થાય તેવું ધ્યાન રાખવું જોઈએ. મહારાષ્ટ્રમાં (Maharashtra) વસતા કોઈ પણ રાજ્યના વ્યક્તિ હોય તેમને મરાઠી આવડવી જ જોઈએ, એવી દાદાગીરી પણ ન કરવી જોઈએ. મુંબઈ દેશની આર્થિક રાજધાની છે ત્યાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે જરૂરી છે. તેમણે કહ્યું કે, રાજ ઠાકરે ગુજરાત અને સરદારનું અપમાન કરી રહ્યા છે. સરકાર સામે વિરોધ હોઈ શકે પરંતુ, સરદાર પટેલ કે મોરારજી દેસાઈ વિશે આ પ્રકારનું વિવાદિત નિવેદન આપવું જોઈએ નહીં. ભાષા કે પ્રાંતનાં મુદ્દાને વચ્ચે ન લાવવા જોઈએ.

Raj Thackeray

Raj Thackeray : સરદાર પટેલનું અપમાન રાજ ઠાકરેને ભારે પડશે : લાલજી પટેલે

રાજ ઠાકરેના વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતીઓ અને સરદાર પટેલ વિરુદ્ધ રાજ ઠાકરેના વિવાદિત નિવેદન પર એસપીજીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે (Lalji Patel) આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, રાજ ઠાકરેને મરાઠી સિવાય કોઈ ગમતા જ નથી. ઠાકરે વારંવાર ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છે. રાજ ઠાકરે એ સરદાર પટેલને અપમાનિત કર્યા છે. પરંતુ, હવે સરદાર પટેલનું અપમાન રાજ ઠાકરેને ભારે પડશે. લાલજી પટેલે કહ્યું કે, રાજ ઠાકરેનો (Raj Thackeray) ગુજરાતમાં કોઈ કાર્યક્રમ હશે તો જાહેરમાં વિરોધ કરીશું. રાજ ઠાકરેની માનસિકતા હંમેશા ગુજરાતીઓ વિરુદ્ધની રહી છે.

Raj Thackeray : ગુજરાતમાં મરાઠી અને મહારાષ્ટ્રમાં ગુજરાતી લોકો છે : ઋત્વિજ પટેલ   

રાજ ઠાકરેના નિવેદન મુદ્દે ભાજપ પ્રવક્તા ઋત્વિજ પટેલે (Rutvij Patel) પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગુજરાત અને મહારાષ્ટ્ર પહેલા એક જ રાજ્ય હતું. વિદર્ભ તરીકે રાજ્ય ઓળખાતું હતું. ગુજરાતમાં મરાઠી અને મહારાષ્ટ્રમાં ગુજરાતી લોકો છે. ઋત્વિક પટેલે કહ્યું કે, તેઓ કોર્પોરેશનમાં એક પણ બેઠક જીતી શક્યા નથી. આથી, સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવા નિવેદનો કરી રહ્યા છે. અમે સખત શબ્દોમાં નિવેદનનો વિરોધ કરીએ છે.

Raj Thackeray
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

Read more: Raj Thackeray : ‘રાજ ઠાકરે રાષ્ટ્રની માફી માગે…’, ગુજરાતભરમાં રોષ! નેતાઓની પ્રતિક્રિયાRajThackerayControversy #SardarPatelInsult #GujaratVsRajThackeray