Rahul Gandhi in Gujarat: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થવાની તૈયારીમાં છે ત્યારે કોંગ્રેસે પોતાનું સંપૂર્ણ ધ્યાન આદિવાસી બેલ્ટ પર કેન્દ્રિત કર્યું છે. લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી આજે, 23 માર્ચ 2026ના રોજ વડોદરાની મુલાકાતે છે. અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટાના પ્રશ્નોને વાચા આપવા માટે રાહુલ ગાંધીએ આજે વડોદરામાં ખાસ સંવાદ કાર્યક્રમ યોજ્યો છે.
Rahul Gandhi in Gujarat: વડોદરામાં આદિવાસી આગેવાનો સાથે સીધો સંવાદ
રાહુલ ગાંધી બપોરે 2 વાગ્યે વડોદરા એરપોર્ટ પર ઉતરાણ કરશે, જ્યાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
- સ્થળ: પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ, આજવા ચોકડી.
- સહભાગીઓ: અંદાજે 1500થી વધુ આદિવાસી આગેવાનો, વિવિધ NGOના પ્રતિનિધિઓ અને પ્રબુદ્ધ નાગરિકો આ કાર્યક્રમમાં જોડાશે.
- મુખ્ય એજન્ડા: જળ, જંગલ અને જમીનના અધિકારો તેમજ આદિવાસી સમાજ સામે થઈ રહેલા કથિત અન્યાય અંગે ચર્ચા.

Rahul Gandhi in Gujarat: સંવિધાન અને અધિકારોના મુદ્દે સરકાર પર પ્રહાર
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે ગુજરાતના આદિવાસીઓ સાથે ‘ઓરમાયું વર્તન’ કરવામાં આવી રહ્યું છે. વિકાસના નામે ફાળવવામાં આવતા બજેટમાં ભ્રષ્ટાચાર અને માળખાકીય સુવિધાઓનો અભાવ આદિવાસી વિસ્તારોની વરવી વાસ્તવિકતા છે. રાહુલ ગાંધી આ સંવાદ દ્વારા આદિવાસી યુવાનો અને મહિલાઓમાં નવો ઉત્સાહ ભરવાનો પ્રયાસ કરશે.
ચૂંટણીલક્ષી વ્યૂહરચના
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાહુલ ગાંધીની આ મુલાકાત કોંગ્રેસના કાર્યકરો માટે ‘બૂસ્ટર ડોઝ’ સમાન માનવામાં આવે છે. ખાસ કરીને આદિવાસી મતોનું ધ્રુવીકરણ રોકવા અને ભાજપના ગઢમાં ગાબડું પાડવા માટે કોંગ્રેસે આ વ્યૂહરચના અપનાવી છે. રાહુલ ગાંધી સાંજે 5 વાગ્યે વડોદરાથી સીધા દિલ્હી પરત રવાના થશે.
વધુ વાંચવા માટે અંહી ક્લિક કરો : શેરબજારમાં ‘બ્લેક મન્ડે સેન્સેક્સ 1800 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના કરોડો રૂપિયા સ્વાહા; યુદ્ધની આશંકાએ બજારમાં મચ્યો હાહાકાર




