વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​તેલંગાણાને અનેક પ્રોજેક્ટની ભેટ આપી,તેલંગાણાના સીએમ કેસીઆર પર કર્યા પ્રહાર

    0
    130

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​તેલંગાણાને અનેક પ્રોજેક્ટની ભેટ આપી છે. PM એ તેલંગાણામાં સિકંદરાબાદ રેલ્વે સ્ટેશનનો પુનઃવિકાસ માટે શિલાન્યાસ કર્યો. તેમણે સિકંદરાબાદથી તિરુપતિ સુધી ચાલતી વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી હતી. આ પછી પીએમએ તેલંગાણાના લોકોને પણ સંબોધિત કર્યા અને સીએમ કેસીઆર પર જોરદાર નિશાન સાધ્યું. વડાપ્રધાને તેલંગાણાના સીએમ કેસીઆર અને તેમની રાજનીતિ પર પ્રહાર કરતા કહ્યું કે, “મુઠ્ઠીભર લોકો વિકાસના કામથી બોખલાયલા છે, જેઓ પરિવારવાદ, ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચારને પોષે છે. જેનાથી કામ કરનાર લોકોને પરેશાની થઈ રહી છે. તેલંગાણાએ આવા લોકોથી સાવધાન રહેવાની જરૂર છે.”