Home Politics PM Modi in Sambhal : ભગવાન અત્યારે હોત તો અત્યારે તેમના પર...

PM Modi in Sambhal : ભગવાન અત્યારે હોત તો અત્યારે તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ લાગત, જાણો વડાપ્રધાને કેમ આવું કહ્યું ?  

0
565
PM Modi in Sambhal
PM Modi in Sambhal

PM Modi in Sambhal: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશ પહોંચ્યા હતા. અહીં તેમણે કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. તેમની સાથે આ કાર્યક્રમમાં સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પીએમ મોદીએ કલ્કી ધામ મંદિરમાં ભૂમિપૂજન કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને શ્રી કલ્કી ધામ નિર્માણ ટ્રસ્ટના આચાર્ય પ્રમોદ કૃષ્ણમ હાજર રહ્યા હતા. આ મંદિર 5 એકરમાં બનશે. તેને બનાવવામાં 5 વર્ષ લાગશે. તેમજ આ મંદિર ભગવાન વિષ્ણુના દશાવતાર માટે અલગ અલગ ગર્ભગૃહ હશે.  

PM Modi in Sambhal

PM Modi in Sambhal : સોમવારે પીએમ મોદીએ યુપીના સંભલમાં કલ્કિ ધામનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આજે ઉત્તર પ્રદેશની ધરતી પરથી ભક્તિ અને આધ્યાત્મિકતાનો બીજો પ્રવાહ વહેવા આતુર છે. આજે વધુ એક પવિત્ર સ્થળનો પાયો નાખવામાં આવી રહ્યો છે. મને ભવ્ય કલ્કિ ધામનો શિલાન્યાસ કરવાનો લહાવો મળ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઉત્તર પ્રદેશના સંભલમાં કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન તેમણે આચાર્ય પ્રમોદ કૃષ્ણમના શબ્દોને પુનરાવર્તિત કર્યા અને કહ્યું કે પ્રમોદ ક્રિષ્નમે કહ્યું હતું કે દરેક પાસે કંઈક ને કંઈક આપવાનું હોય છે. પણ મારી પાસે કંઈ નથી.

PM Modi in Sambhal

PM Modi in Sambhal : વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, ‘હું માત્ર મારી લાગણીઓ જ વ્યક્ત કરી શકું છું. તે સારું છે કે કશું આપવા માટે મારી પાસે કઈ નથી, . નહિ તો જમાનો એવો બદલાયો છે કે આજના યુગમાં સુદામાએ શ્રીકૃષ્ણને પોટલીમાં ચોખા આપ્યા હોત તો પહેલા  વીડિયો સામે આવશે. સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવામાં આવી હોત અને ચુકાદો આવ્યો હોત કે ભ્રષ્ટાચારમાં ભગવાન કૃષ્ણને કંઈક આપવામાં આવ્યું હતું અને ભગવાન કૃષ્ણ ભ્રષ્ટાચાર કરી રહ્યા હતા. આપણે આવા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ.

PM Modi in Sambhal

પીએમ મોદીએ કહ્યું, ‘આજે ઉત્તર પ્રદેશની ધરતી પરથી ભક્તિ અને આધ્યાત્મિકતાનો બીજો પ્રવાહ વહેવા આતુર છે. આજે વધુ એક પવિત્ર સ્થળનો પાયો નાખવામાં આવી રહ્યો છે. મને ભવ્ય કલ્કિ ધામનો શિલાન્યાસ કરવાનો લહાવો મળ્યો છે. મને વિશ્વાસ છે કે કલ્કિ ધામ ભારતીય આસ્થાના બીજા મહાન કેન્દ્ર તરીકે ઉભરી આવશે.

ભગવાન કલ્કી કોણ છે? | PM Modi in Sambhal

PM Modi in Sambhal

PM Modi in Sambhal : પૌરાણિક માન્યતાઓ અનુસાર, જ્યારે કળિયુગમાં પાપ તેની ચરમસીમા પર હશે, ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કી નામનો દસમો અવતાર લેશે. અગ્નિ પુરાણના 16મા અધ્યાયમાં કલ્કી અવતારને ધનુષ અને બાણ ધરાવનાર ઘોડેસવાર તરીકે દર્શાવવામાં આવ્યો છે. જેમાં ભગવાન કલ્કીના ઘોડાનું નામ દેવદત્ત તરીકે દર્શાવવામાં આવ્યું છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, કળિયુગ 4,32,000 વર્ષનો છે, જેનો પ્રથમ તબક્કો હાલમાં ચાલી રહ્યો છે. જ્યારે કળિયુગનો અંતિમ તબક્કો શરૂ થશે, ત્યારે ભગવાન કલ્કી અવતાર લેશે. આ રીતે, સંભલનું કલ્કી ધામ વિશ્વનું પ્રથમ ધાર્મિક સ્થળ હશે, જ્યાં ભગવાનની મૂર્તિ તેમના જન્મ પહેલા જ સ્થાપિત કરવામાં આવશે.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે