PM મોદીએ રોજગારમેળા અંતર્ગત 71000 યુવાનોને નિમણૂંક પત્ર સોંપ્યા

0
55

PM મોદીએ રોજગારમેળા અંતર્ગત 71000 યુવાનોને નિમણૂંક પત્ર સોંપ્યા છે. PM મોદી યુવાનોને સંબોધિત  કર્યાં હતાં. યુવાનોને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિશ્વ ભારત તરફ મીટ માંડી રહ્યું છે. ભારતમાં નવી તકોના દ્વાર ખુલી ગયા છે. 2014 બાદ ભારતે પ્રો ટેકનોલોજી એપ્રોચ અપનાવ્યો છે. ભારતમાં એવા અવસર જેની પહેલા કલ્પના પણ નહોતી. યુવાનો સામે અનેક નવા સેક્ટર્સ ખુલી ગયા છે. સ્ટાર્ટ અપને લઇને ભારતમાં મોટાપાયે તક છે. ભારતમાં ડ્રોનની માગ સતત વધી રહી છે. મોટાપાયે યુવાનો ડ્રોન ઉત્પાદન ક્ષેત્રે જોડાયા. દેશભરમાં નવા સ્ટેડિયમ, નવી એકેડમી તૈયાર થઇ રહી છે. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ રોજગારીના કરોડો અવસર છે.