#internationalcourt #IndiaPakistanWar #india #pakistan #IndoPakBorder #pahalgamattack પાકિસ્તાનને લાગે છે ડર જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમા પર છે, લગભગ યુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ થઈ ચૂકી છે, ભારતે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન પાસેથી ચોક્કસ બદલો લેવામાં આવશે. પાકિસ્તાનને પણ લાગે છે કે ભારત પણ મોટો હુમલો કરશે. ભારત સરકારે સિંધુ જળ સંધિ પર રોક લગાવીને જે કડક પગલું ભર્યું છે, તેનાથી પાકિસ્તાન ગભરાઈ ગયું છે અને કાનૂની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે.

ભારત –પાકિસ્તાન વચ્ચે માહોલ તંગ

ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનની હાલત થઈ ખરાબ

સિંધુ જળ સંધિને લઈને પાકિસ્તાન ચિંતામાં
પાકિસ્તાનને લાગે છે ડર
1965, 1971 અને 1999ના પાકિસ્તાન સાથેના યુદ્ધો પછી પણ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી ન હતી. પુલવામા અને ઉરી હુમલા પછી પણ ભારતે સંધિ ચાલુ રાખી. પરંતુ આ વખતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવો જરીરી છે, આથી સિંધુ જળ સંધિ તાત્કાલિક સ્થગિત કરી દેવામાં આવી છે. આ કારણોસર પાકિસ્તાન હવે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના ભારતના પગલા અંગે મોટા પગલાં લેવાની તૈયારી માં છે

પાકિસ્તાન જઈ શકે છે ઇન્ટરનેશનલ કોર્ટમાં
પાકિસ્તાને ઇન્ટરનેશનલ કોર્ટનો સહારો લેવાની તૈયારી દર્શાવી પાકિસ્તાનને લાગે છે ડર
પાકિસ્તાન પાસે જળ સંધિ બચાવવા માટે હજુ 2 રસ્તાઓ
પાકિસ્તાન ઇન્ટરનેશનલ કોર્ટનો સહારો લઈ શકે તેમ છે
પાકિસ્તાન સંધિના મધ્યસ્થી વિશ્વ બેન્કને વચ્ચે લાવી શકે છે
પાકિસ્તાન સિંધુ જળ સંધિને લઈને આંતરરાષ્ટ્રીય કાનૂની કાર્યવાહી શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે અને દેશની ટોચની કાનૂની સંસ્થાએ આ મામલે સરકારને મદદ કરવા માટે એક સમિતિની રચના પણ કરી છે.પાકિસ્તાનના કાનૂની બાબતોના રાજ્યમંત્રી, બેરિસ્ટર અકીલ મલિકે રોઇટર્સને જણાવ્યું હતું કે, ‘સરકાર ઓછામાં ઓછા ત્રણ અલગ અલગ કાનૂની વિકલ્પોનો ઉપયોગ કરી રહી છે, જેમાં વિશ્વ બેન્કે આ સંધિ દરમિયાન મધ્યસ્થીનું કામ કર્યું હોવાથી તેની સામે આ મુદ્દો ઉઠાવવામાં આવશે. બેરિસ્ટર અકીલ મલિકે કહ્યું કે, ‘પાકિસ્તાન કાયમી મધ્યસ્થી અદાલત અથવા હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં કાર્યવાહી કરવાનું પણ વિચારી રહ્યું છે.
અહીં પાકિસ્તાન દલીલ કરી શકે છે કે ભારતે સંધિને સ્થગિત કરીને 1969ના વિયેના સંમેલનનું ઉલ્લંઘન કર્યું છે. આ અંગેની કાનૂની વ્યૂહરચના પર ચર્ચા લગભગ પૂર્ણ થઈ ગઈ છે, તેમજ કયા કેસ ચલાવવા તે અંગે નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે, અને તેમાં એક કરતાં વધુ વિકલ્પો સામેલ હશે.’
Table of Contents
Pahalgam આતંકી હુમલાનું ગુજરાત કનેક્શન !! | Power Play 1889 | VR LIVE