Pakistan Airstrikes in Afghanistan:રમઝાનના પવિત્ર માસના અંતિમ દિવસોમાં દક્ષિણ એશિયામાં ભૌગોલિક તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વને પડકારીને કાબુલ, કંધાર અને પક્તિયા જેવા મહત્વના શહેરો પર મોટો હવાઈ હુમલો કર્યો છે. આ હુમલા બાદ બંને દેશો વચ્ચે ‘આર-પાર’ની લડાઈ શરૂ થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
Pakistan Airstrikes in Afghanistan: કંધારમાં કામ એરના ફ્યુઅલ ડેપોને નિશાન બનાવ્યું
પાકિસ્તાની ફાઈટર જેટ્સે કંધાર એરપોર્ટ પાસે આવેલી ખાનગી એરલાઇન ‘કામ એર’ (Kam Air) ના ઈંધણ ડેપો પર બોમ્બમારો કર્યો છે. નોંધનીય છે કે આ ડેપો સંયુક્ત રાષ્ટ્ર (UN) ના વિમાનોને પણ ઈંધણ પૂરું પાડતું હતું. આ હુમલાને કારણે વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી અને મોટા પાયે નુકસાન થયું છે.
Pakistan Airstrikes in Afghanistan:નિર્દોષ નાગરિકોના મોતની આશંકા
તાલિબાન સરકારના પ્રવક્તાએ જણાવ્યું છે કે પાકિસ્તાને રહેણાંક વિસ્તારોમાં બોમ્બ ફેંક્યા છે. આ ક્રૂર આક્રમણમાં મહિલાઓ અને બાળકો સહિત અનેક નિર્દોષ નાગરિકો ભોગ બન્યા હોવાની આશંકા છે. તાલિબાને પાકિસ્તાન પર નૈતિક મૂલ્યો નેવે મૂકવાનો આરોપ લગાવ્યો છે, ખાસ કરીને ઈદના તહેવાર ટાણે જ આ હુમલો થતા આક્રોશ ફાટી નીકળ્યો છે.
અફઘાનિસ્તાનનો પલટવાર: “જડબાતોડ જવાબ આપીશું”

હુમલા બાદ અફઘાનિસ્તાને આકરી પ્રતિક્રિયા આપી છે:
- કઠોર નિંદા: તાલિબાન શાસને આ હુમલાને ‘ઘૃણાસ્પદ અપરાધ’ ગણાવ્યો છે.
- ચેતવણી: અફઘાન સેનાએ બદલો લેવાની કસમ ખાધી છે અને પાકિસ્તાનને ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવા જણાવ્યું છે.
- સૈન્ય દાવો: અગાઉની અથડામણોમાં અફઘાનિસ્તાને દાવો કર્યો હતો કે તેમણે 55 પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા છે અને 19 સૈન્ય ચોકીઓ પર પોતાનો કબજો જમાવી લીધો છે.
સરહદ પર તણાવનું કારણ
પાકિસ્તાનનો દાવો છે કે તેઓ અફઘાનિસ્તાનમાં છુપાયેલા આતંકી મથકોને નિશાન બનાવી રહ્યા છે, જ્યારે અફઘાનિસ્તાન આ દાવાને નકારી રહ્યું છે અને પાકિસ્તાનને તેની પોતાની સીમામાં રહેવા ચેતવણી આપી રહ્યું છે. હાલમાં બંને દેશોની સરહદ પર હાઈ-એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.




