વન નેશન વન ઈલેક્શન અંધીર રંજન ચૌધરીનું નિવેદન

0
59
વન નેશન વન ઈલેક્શન અંધીર રંજન ચૌધરીનું નિવેદન
વન નેશન વન ઈલેક્શન અંધીર રંજન ચૌધરીનું નિવેદન

વન નેશન વન ઈલેક્શન

અંધીર રંજન ચૌધરીનું નિવેદન

કોઈ મંત્રીએ આ અંગે મારી સાથે વાત કરી નથી : ચૌધરી

એક અધિકારીએ કમિટીમાં સામેલ થવા માટે કહ્યું :  ચૌધરી

વન નેશન વન ઈલેક્શન અંધીર રંજન ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે કેન્દ્ર સરકારે શનિવારે દેશમાં એક સાથે ચૂંટણી યોજવાની શક્યતા ચકાસવા માટે આઠ સભ્યોની સમિતિની રચના કરી હતી. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીનું નામ પણ તેમાં સામેલ હતું. જો કે, ચૌધરીએ સમિતિનો ભાગ બનવાનો ઇનકાર કર્યો છે. હવે તેણે આ વિશે પત્રકારો સાથે વાત કરી. તેમણે કહ્યું કે મને કોઈ મંત્રીએ નહીં, પરંતુ એક અધિકારીએ કમિટીમાં સામેલ થવા માટે કહ્યું છે. તેમણે કહ્યું કે 31 ઓગસ્ટે રાત્રે 11 વાગ્યે મારા કાર્યાલય સચિવને પીએમના મુખ્ય સચિવ મિશ્રાનો ફોન આવ્યો. તેઓએ મને કહ્યું કે સરકાર એક સમિતિ બનાવવા જઈ રહી છે અને તેઓ ઈચ્છે છે કે મને સમિતિમાં સામેલ કરવામાં આવે. આ સમિતિનું નેતૃત્વ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે.

થોડી ખુશ પણ થઈ

તેમણે કહ્યું કે મેં મિશ્રાને કહ્યું કે જ્યારે તમે આટલી મોડી રાત્રે ફોન કર્યો ત્યારે મને આશ્ચર્ય થયું હતું, પરંતુ હું થોડો ખુશ પણ હતો. રાત છે તો વાત કરી? મેં ઘણી વખત પીએમ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. ઓછામાં ઓછું તમે સારી વાત કરી.

કોઈ મંત્રીએ મને પૂછ્યું નથી

ચૌધરીએ કહ્યું કે જ્યારે મને સમિતિ વિશે ખબર પડી ત્યારે મેં તેમને ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ સાથે સંબંધિત તમામ કાગળો મોકલવા કહ્યું. અને  કહ્યું કે કાગળો જોયા પછી હું મારા નિર્ણય વિશે જણાવીશ.અધિરંજન ચૌધરીએ કહ્યું કે હું દસ્તાવેજો વગર અધિકારી સાથે શું વાત કરીશ. તેમણે કહ્યું કે કોઈ મંત્રીએ મને પૂછ્યું નહીં પરંતુ એક બાબુને મારી સાથે વાત કરવા મોકલ્યો અને તે પણ 11 વાગ્યા પછી.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ