એન્કરો કમ પત્રકારો ના બહિષ્કારથી  એનબીડીએ નારાજ, ઇન્ડિયા ગઠબંધને કર્યો છે બહિષ્કાર

0
73
પત્રકારો
પત્રકારો

વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’એ 14 ટીવી પત્રકારો નો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. ‘ઈન્ડિયા‘ ગઠબંધનમાં સામેલ તમામ પક્ષો તેમના પ્રવક્તાઓને આ પત્રકારો કમ એન્કરો ના શોમાં મોકલશે નહી. કોંગ્રેસના નેતા અને મીડિયા અને પ્રચાર વિભાગના અધ્યક્ષ પવન ખેડાએ ન્યૂઝ એન્કર્સ કમ પત્રકારો ની યાદી બહાર પાડી છે જેમના શોમાં પ્રવક્તા મોકલવામાં આવશે નહીં. આ યાદીમાં સુધીર ચૌધરી અને ચિત્રા ત્રિપાઠી સહિત 14 નામ છે.

તો આ અંગે ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એન્ડ ડિજિટલ એસોસિએશન ) એ I.N.D.L.A. ગઠબંધન દ્વારા લેવામાં આવેલા નિર્ણય પર નારાજગી અને ચિંતા વ્યક્ત કરી છે. ઈન્ડિયા ગઠબંધનની મીડિયા કમિટી તેના પ્રતિનિધિઓને કેટલાક પત્રકારો/એન્કરો દ્વારા આયોજિત શો અને કાર્યક્રમોમાં મોકલશે નહીં. તેમણે કહ્યું કે, I.N.D.I.A. ગઠબંધનની મીડિયા સમિતિ દ્વારા લેવામાં આવેલ ખતરનાક છે. NBDa એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતની કેટલીક ટોચની ટીવી સમાચાર હસ્તીઓ દ્વારા સંચાલિત ટીવી ન્યૂઝ શોમાં ભાગ લેવા પર વિપક્ષી ગઠબંધનના પ્રતિનિધિઓ પર પ્રતિબંધ લોકશાહીના સિદ્ધાંતની વિરુદ્ધ છે.

આ નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ પગલું અસહિષ્ણુતાનું પ્રતિક છે અને પ્રેસની સ્વતંત્રતા જોખમમાં મૂકે છે. વિપક્ષી ગઠબંધન બહુમતીવાદ અને ફ્રી પ્રેસના ચેમ્પિયન હોવાનો દાવો કરે છે, પરંતુ તેનો નિર્ણય લોકશાહીના સૌથી મૂળભૂત સિદ્ધાંત – ખુલ્લા મંતવ્યો અને અભિપ્રાયોને ખુલ્લેઆમ વ્યક્ત કરવાનો અવિભાજ્ય અધિકાર – માટે ઘોર અવગણનાને પ્રતિબિંબિત કરે છે.

કેટલાક પત્રકારો /એન્કરોનો બહિષ્કાર દેશને કટોકટીના સમયગાળામાં પાછો લઈ જાય છે, જ્યારે પ્રેસને તાળાબંધી કરવામાં આવી હતી અને સ્વતંત્ર અભિપ્રાયો અને અવાજોને દબાવવામાં આવ્યા હતા. NBDA વિપક્ષી ગઠબંધનને કેટલાક પત્રકારો અને એન્કરોનો બહિષ્કાર કરવાનો નિર્ણય પાછો ખેંચવા વિનંતી કરે છે કારણ કે આવો નિર્ણય પત્રકારોને ડરાવવા અને મીડિયાની અભિવ્યક્તિ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને દબાવવા સમાન છે.

તો બીજી તરફ કોંગ્રેસ નેતા પવન ખેડાએ X પર પોસ્ટ કરતા લખ્યું કે, ઈન્ડિયા મીડિયા સમિતિ દ્વારા આજે બપોરે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠકમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે. ઈન્ડિયાની ટીમ 14 ન્યૂઝ એન્કરના શો અને ઈવેન્ટ્સમાં પોતાના પ્રતિનિધિઓને મોકલશે નહીં. આ યાદીમાં અદિતિ ત્યાગી, અમન ચોપરા, અમીશ દેવગન, આનંદ નરસિમ્હન, અર્નબ ગોસ્વામી, અશોક શ્રીવાસ્તવ, ચિત્રા ત્રિપાઠી, ગૌરવ સાવંત, નાવિકા કુમાર, પ્રાચી પરાશર, રૂબિકા લિયાકત, શિવ અરુર, સુધીર ચૌધરી અને સુશાંત સિંહાનો સમાવેશ થાય છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.