Kuwait: કુવૈતની બિલ્ડિંગમાં ભીષણ આગ, 40 ભારતીય કામદારોના મોત

0
302
Kuwait: કુવૈતની બિલ્ડિંગમાં ભીષણ આગ, 40 ભારતીય કામદારોના મોત
Kuwait: કુવૈતની બિલ્ડિંગમાં ભીષણ આગ, 40 ભારતીય કામદારોના મોત

Kuwait Building Fire: કુવૈતના દક્ષિણ અહમદી ગવર્નરેટના મંગાફ વિસ્તારમાં સ્થિત છ માળની ઇમારતના રસોડામાં બુધવારે વહેલી સવારે આગ લાગી હતી. બિલ્ડિંગમાં લગભગ 160 લોકો રહેતા હતા, જેઓ એક જ કંપનીના કર્મચારીઓ છે. ત્યાં રહેતા ઘણા કર્મચારીઓ ભારતીય છે.

2 53
Kuwait: કુવૈતની બિલ્ડિંગમાં ભીષણ આગ, 40 ભારતીય કામદારોના મોત

કુવૈતના મંગાફ શહેરમાં બુધવારે એક મકાનમાં કામદારોના મકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 40 ભારતીયોના મોતના સમાચાર છે. જ્યારે 30થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મોટાભાગના મૃત્યુ શ્વાસ રૂંધાવાને કારણે થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં 5 લોકો કેરળના રહેવાસી હતા. અધિકારીઓએ જણાવ્યું કે કુવૈતના દક્ષિણ અહમદી ગવર્નરેટના મંગાફ વિસ્તારમાં સ્થિત છ માળની ઇમારતના રસોડામાં બુધવારે વહેલી સવારે આગ લાગી હતી.

એક રિપોર્ટ અનુસાર, જે બિલ્ડિંગમાં આગ લાગી તે મલયાલમ બિઝનેસમેન કેજી અબ્રાહમના NBTC ગ્રુપની છે. માર્યા ગયેલા લોકો આ કંપનીમાં કામ કરતા હતા. બિલ્ડિંગમાં લગભગ 160 લોકો રહે છે. કુવૈતની કુલ વસ્તીના 21% (10 લાખ) ભારતીયો છે. આ કર્મચારીઓના 30% (આશરે 9 લાખ) છે.

Kuwait: ગ્રાઉન્ડ ફ્લોર કિચનમાં આગ લાગી

કુવૈતની એક વ્યુઝ એજન્સી અનુસાર, આ દુર્ઘટના ભારતીય સમય અનુસાર બુધવારે સવારે લગભગ 6 વાગ્યે થઈ હતી. રિપોર્ટ અનુસાર ગ્રાઉન્ડ ફ્લોર કિચનમાં લાગેલી આગ ઝડપથી 6 માળની ઈમારતમાં ફેલાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં લોકો અંદર ફસાઈ ગયા. બિલ્ડિંગમાં મોટાભાગના પરપ્રાંતિય મજૂરો રહે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા લોકો ગેરકાયદેસર રીતે પણ રહેતા હતા.

ભારતીય રાજદૂત ઘાયલોને મળ્યા

આ દરમિયાન ભારતીય રાજદૂત આદર્શ સ્વૈકા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેઓ ઘાયલોને મળ્યા છે. ભારતીય દૂતાવાસ ઘાયલોને તમામ શક્ય મદદ કરી રહ્યું છે.

ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર જાહેર

કુવૈતમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું તમામ સંબંધિતોને અપડેટ્સ માટે આ હેલ્પલાઈન સાથે જોડાવા વિનંતી છે. એમ્બેસી તમામ શક્ય મદદ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.”

વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કર્યું

વિદેશ મંત્રી એસ જયશંકરે ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, “કુવૈત શહેરમાં આગની ઘટનાના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. 40 થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હોસ્પિટલમાં 50 થી વધુ લોકો દાખલ છે. અમારા રાજદૂત સ્થળ પર ગયા છે. અમે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ.”

મકાન માલિકની ધરપકડનો આદેશ

કુવૈતના ગૃહ પ્રધાન શેખ ફહદ અલ-યુસુફ અલ-સબાહે બિલ્ડિંગના માલિકની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે કમનસીબે આવી ઘટનાઓ રિયલ એસ્ટેટ માલિકોના લોભને કારણે બને છે. ઊંચા ભાડાના લોભમાં મકાન માલિકો એક જ રૂમમાં અનેક લોકોને બેસાડે છે. ઊંચા ભાડા માટે સલામતીના સ્તર સાથે ચેડા કરવામાં આવે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો