મણિપુર હિંસાનો મામલે સુપ્રીમ કોર્ટમાં થઈ સુનાવણી

0
59
મણિપુર હિંસાનો મામલો,સુપ્રીમ કોર્ટમાં થઈ સુનાવણી
મણિપુર હિંસાનો મામલો,સુપ્રીમ કોર્ટમાં થઈ સુનાવણી

મણિપુર હિંસાનો મામલો

સુપ્રીમ કોર્ટમાં થઈ સુનાવણી

સુપ્રીમ કોર્ટમાં સરકારે આપી માહિતિ

મણિપુર હિંસાની તપાસ માટે જિલ્લા સ્તરીય SITની રચના કરવામાં આવશે

મણિપુર માં ચાલી રહેલી જાતિ હિંસા સંબંધિત અરજીઓની સુપ્રીમ કોર્ટેમાં સોમવારે સુનાવણી થઈ હતી. આ દરમિયાન સરકાર વતી કોર્ટમાં હાજર રહેલા એટર્ની જનરલ આર વેંકટરામણીએ કોર્ટને કહ્યું કે સરકાર મણિપુરમાં હિંસાની ઘટનાઓને ખૂબ જ પરિપક્વતાથી સંભાળી રહી છે. એટર્ની જનરલે કહ્યું કે હિંસાથી પ્રભાવિત છ જિલ્લાઓમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓની બનેલી SITની રચના કરવામાં આવશે.

જિલ્લા કક્ષાએ SITની રચના કરવામાં આવશે

એટર્ની જનરલે કહ્યું કે આ SITનું નેતૃત્વ પોલીસ અધિક્ષક સ્તરના અધિકારીઓ કરશે. આ SIT હિંસાની તપાસ કરશે. મહિલાઓ સંબંધિત ગુનાઓની તપાસ માટે માત્ર મહિલા પોલીસ અધિકારીઓ સાથેની SITની રચના કરવામાં આવશે. ડીઆઈજી અને ડીજીપી સ્તરના પોલીસ અધિકારીઓ આ એસઆઈટીની કામગીરીની દેખરેખ રાખશે. એટર્ની જનરલે કહ્યું કે મણિપુરમાં પરિસ્થિતિ ખૂબ જ તંગ છે અને બહારથી નિર્દેશિત કોઈ તપાસ લોકોમાં વિશ્વાસ જગાડવામાં મદદ કરશે નહીં.

સીબીઆઈ મહિલા અપરાધોની તપાસ કરશે

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે CBI મહિલાઓ વિરુદ્ધ અપરાધ સંબંધિત 12 કેસોની તપાસ કરશે. તેમણે એમ પણ કહ્યું કે જો તપાસ દરમિયાન મહિલાઓ વિરુદ્ધ અપરાધ સંબંધિત અન્ય મામલા પણ સામે આવશે તો તેની પણ સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવશે.

નોંધનીય છે કે મણિપુરમાં છેલ્લા કેટલા મહિનાઓથી હિંસા ફાટી નીકળી છે. આ હિંસા શાંત થવાનું નામ લઈ રહી નથી.ત્યારે મણિપુર હિંસા અંગેની અરજીમાં સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનાવણી થઈ હતી

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ