ચેરના વૃક્ષોના વાવેતરમાં ભારતમાં બીજા નંબરે ગુજરાત, જાણો કેવી રીતે ઇકોસિસ્ટમ માટે કરે છે મદદ

0
138
Mangrove: ચેરના વૃક્ષોના વાવેતરમાં ભારતમાં ગુજરાત નંબર-2 પર, ઇકોસિસ્ટમને મદદ કરે છે આ વૃક્ષો
Mangrove: ચેરના વૃક્ષોના વાવેતરમાં ભારતમાં ગુજરાત નંબર-2 પર, ઇકોસિસ્ટમને મદદ કરે છે આ વૃક્ષો

Mangrove forest: ગુજરાતે છેલ્લા 3 દાયકાઓમાં ચેર વૃક્ષોના ક્ષેત્રમાં નોંધપાત્ર વધારો કર્યો છે. ગુજરાત વિસ્તારની દ્રષ્ટિએ ચેર વૃક્ષોના ક્ષેત્રમાં પશ્ચિમ બંગાળ બાદ બીજા ક્રમે છે. ગુજરાતમાં ચેર કવર 1175 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે, 799 ચોરસ કિલોમીટર સાથે રાજ્યનો કચ્છ જિલ્લો ચેર કવરમાં અગ્રેસર છે.

Mangrove: ચેરના વૃક્ષોના વાવેતરમાં ભારતમાં ગુજરાત નંબર-2 પર, ઇકોસિસ્ટમને મદદ કરે છે આ વૃક્ષો
Mangrove: ચેરના વૃક્ષોના વાવેતરમાં ભારતમાં ગુજરાત નંબર-2 પર, ઇકોસિસ્ટમને મદદ કરે છે આ વૃક્ષો

ગુજરાત ચેરના વૃક્ષોના સંરક્ષણમાં દેશના અગ્રણી રાજ્યોમાંનું એક

ગુજરાતે છેલ્લા 3 દાયકાઓમાં મેન્ગ્રોવ એટલે કે ચેર વૃક્ષોના ક્ષેત્રમાં નોંધપાત્ર વધારો કર્યો છે, જે પર્યાવરણીય સંરક્ષણનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ગુજરાત ચેરના વૃક્ષોના સંરક્ષણમાં દેશના અગ્રણી રાજ્યોમાંનું એક બન્યું છે. રાષ્ટ્રીય સ્તરે ગુજરાત રાજ્ય ચેરના વિસ્તારની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ બાદ બીજા ક્રમે આવે છે. ગુજરાતનું ચેરના કવર એટલે કે ચેરના વૃક્ષોનું ક્ષેત્ર, 1991માં 3 સો 97 ચોરસ કિલોમીટરથી વધીને 2021માં 1 હજાર 1 સો 75 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે, જે રાજ્યની મહત્વપૂર્ણ દરિયાઇ ઇકોસિસ્ટમને બચાવવા અને તેને પુનઃસ્થાપિત કરવા માટે ગુજરાતના નક્કર પ્રયાસો દર્શાવે છે. ગુજરાત સરકારના ચેરના વાવેતર અને સંરક્ષણ માટેના સતત પ્રયાસો ફળ્યા છે, જે પર્યાવરણીય સંરક્ષણ માટે રાજ્યને એક મોડલ તરીકે પ્રદર્શિત કરે છે.  

Mangrove: ચેરના વૃક્ષોના વાવેતરમાં ભારતમાં ગુજરાત નંબર-2 પર, ઇકોસિસ્ટમને મદદ કરે છે આ વૃક્ષો
Mangrove: ચેરના વૃક્ષોના વાવેતરમાં ભારતમાં ગુજરાત નંબર-2 પર, ઇકોસિસ્ટમને મદદ કરે છે આ વૃક્ષો

ગુજરાત ચેર (Mangrove)ના કવરની દ્રષ્ટિએ બીજા ક્રમે

ગુજરાતમાં ચેરના કવરના વિસ્તરણ અંગે વાત કરતા વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ જણાવ્યું કે, “ગુજરાત સરકારે રાજ્યમાં ચેરના વૃક્ષોનું વાવેતર વધારવા માટેના સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે અને તેના પરિણામસ્વરૂપે આજે ગુજરાતમાં ચેરનાનું આવરણ 1175 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે. રાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાત ચેરના કવરની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે, જે એક નોંધપાત્ર સિદ્ધિ છે.

ગુજરાત સરકારના ચેરના વાવેતર અને સંરક્ષણ માટેના સતત પ્રયાસો ફળ્યા છે, જે પર્યાવરણીય સંરક્ષણ માટે રાજ્યને એક મોડલ તરીકે પ્રદર્શિત કરે છે. ચેરના કવરમાં વધારો કરવાથી ફક્ત જૈવવિવિધતાને જ પ્રોત્સાહન મળતું નથી, પરંતુ ધોવાણ અને ભારે હવામાનની ઘટનાઓ સામે દરિયાકાંઠાની સ્થિતિસ્થાપકતા પણ મજબૂત બને છે, જે રાજ્યના દરિયાકાંઠાના સમુદાયો અને ઇકોસિસ્ટમ માટે ટકાઉ ભવિષ્ય સુનિશ્ચિત કરે છે.

ગુજરાતનું ચેરના કવર વ્યૂહાત્મક રીતે રાજ્યના ચાર મુખ્ય વિસ્તારોમાં વહેંચાયેલું છે. રાજ્યનો કચ્છ જિલ્લો 799 ચોરસ કિલોમીટર ચેરના કવર સાથે અગ્રેસર છે, જે રાજ્યના ચેરના કવરનો મોટાભાગનો હિસ્સો ધરાવે છે. જ્યારે મરીન નેશનલ પાર્ક અને અભયારણ્ય સહિત કચ્છનો અખાત, જામનગર, રાજકોટ (મોરબી), પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જેવા વિસ્તારોને આવરી લઇને 236 ચોરસ કિલોમીટરનો ચેરના કવર ધરાવે છે.

Mangrove: ચેરના વૃક્ષોના વાવેતરમાં ભારતમાં ગુજરાત નંબર-2 પર, ઇકોસિસ્ટમને મદદ કરે છે આ વૃક્ષો
Mangrove: ચેરના વૃક્ષોના વાવેતરમાં ભારતમાં ગુજરાત નંબર-2 પર, ઇકોસિસ્ટમને મદદ કરે છે આ વૃક્ષો

ખંભાતના અખાત અને ડુમસ-ઉભરાટ વિસ્તારો સહિત રાજ્યનો મધ્ય અને દક્ષિણ ગુજરાત વિસ્તાર કે જેમાં ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓનો સમાવેશ થાય છે, તે વિસ્તાર 134 ચોરસ કિલોમીટર ચેરના કવર ધરાવે છે. આ ઉપરાંત, અમરેલી, જૂનાગઢ અને ગીર-સોમનાથ જેવા જિલ્લાઓને આવરી લેતો રાજ્યનો સૌરાષ્ટ્ર વિસ્તાર પણ સામાન્ય 6 ચોરસ કિલોમીટરનું ચેરના કવર ધરાવે છે.

ચેરના વૃક્ષો (Mangrove forest)ની મહત્વપૂર્ણ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી ગુજરાત સરકારે વર્ષ 2014-15 થી 2022-23 દરમિયાન ચેરના વૃક્ષોના વાવેતરનું વ્યાપક અભિયાન હાથ ધર્યું હતું. ગુજરાતના વાર્ષિક વાવેતરના પ્રયાસો વર્ષ 2016-17માં 9,080 હેક્ટર સુધી વિસ્તર્યા હતા. 4,920 હેક્ટર વિસ્તારમાં નવા વાવેતરો સાથે, કચ્છના અખાતમાં સૌથી વધુ વાવેતર થયું હતું. વિવિધ વિસ્તારોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સતત ધોરણે વૃક્ષારોપણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વર્ષ 2023-24માં રાજ્યમાં 6930 હેક્ટર વિસ્તારમાં ચેરનાનું વાવેતર કરવામાં આવ્યું હતું અને વર્ષ 2024-25 દરમિયાન કુલ 12,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં ચેરનાનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Mangrove: ચેરના વૃક્ષોના વાવેતરમાં ભારતમાં ગુજરાત નંબર-2 પર, ઇકોસિસ્ટમને મદદ કરે છે આ વૃક્ષો
Mangrove: ચેરના વૃક્ષોના વાવેતરમાં ભારતમાં ગુજરાત નંબર-2 પર, ઇકોસિસ્ટમને મદદ કરે છે આ વૃક્ષો

Mangrove: ચેરના એટલે દરિયાકાંઠાના જંગલો

ચેરના એ દરિયાકાંઠાના જંગલો છે (Mangrove forest), જેમાં ખારા પાણીમાં ઉગે તેવા વૃક્ષોનો સમાવેશ થાય છે, જે પોષકતત્વો અને કાંપને ફિલ્ટર કરીને પાણીની ગુણવત્તા સુધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ ઇકોસિસ્ટમ્સ દરિયાઇ જીવસૃષ્ટિને ટેકો આપવા, દરિયાકાંઠાની જમીનને સ્થિર કરવા, ખારાશને વધતી અટકાવવા અને વાવાઝોડાં જેવી કુદરતી આફતોની અસરને ઘટાડવા માટે મહત્વપૂર્ણ છે. એવો અંદાજ છે કે, માછલીઓ અને પક્ષીઓ સહિત લગભગ 1,500 પ્રકારના છોડ અને પ્રાણીઓની પ્રજાતિઓ ચેરના્સ પર નિર્ભર છે, જેઓ ચેરના વૃક્ષો નીચેના છીછરા પાણીનો પ્રજનન નર્સરી તરીકે ઉપયોગ કરે છે.

છેલ્લા બે દાયકામાં ચેર (Mangrove) ના કવરમાં ગુજરાતની નોંધપાત્ર વૃદ્ધિ એ પર્યાવરણ સંરક્ષણ માટે રાજ્યની દૃઢ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. વૃક્ષારોપણના વ્યાપક પ્રયાસો અને સરકારના સમર્થન સાથે રાજ્યના મહત્વપૂર્ણ વિસ્તારોમાં ચેરના્સના વ્યૂહાત્મક વિતરણને કારણે માત્ર જૈવવિવિધતાને જ પ્રોત્સાહન નથી મળ્યું પરંતુ તેનાથી દરિયાકાંઠાની સ્થિતિસ્થાપકતા પણ વધુ મજબૂત બની છે. ચેરના સંરક્ષણમાં ગુજરાત સતત અગ્રેસર રહેવા સાથે વિશ્વભરમાં ટકાઉ પર્યાવરણીય સંરક્ષણ માટે એક મોટું ઉદાહરણ સ્થાપિત કરે છે.

તાજેતરના સંશોધનો દર્શાવે છે કે વાંદરાઓ, સ્લોથ, વાઘ, જરખ અને આફ્રિકન જંગલી શ્વાન જેવા મોટા સસ્તન પ્રાણીઓ માટે પણ ચેરના મહત્વપૂર્ણ છે. આ તારણો, માછલી અને પક્ષીઓ માટે નર્સરી તરીકેની ચેરના્સની પરંપરાગત ભૂમિકાથી આગળ વધીને તેમના વ્યાપક ઇકોલોજીકલ મહત્વને પ્રકાશિત કરે છે.

Mangrove: ચેરના વૃક્ષોના વાવેતરમાં ભારતમાં ગુજરાત નંબર-2 પર, ઇકોસિસ્ટમને મદદ કરે છે આ વૃક્ષો
Mangrove: ચેરના વૃક્ષોના વાવેતરમાં ભારતમાં ગુજરાત નંબર-2 પર, ઇકોસિસ્ટમને મદદ કરે છે આ વૃક્ષો

ચેરના સંરક્ષણ માટે ગુજરાતની પ્રતિબદ્ધતાએ ભારત તેમજ અન્ય દેશો માટે પણ એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે. અરબી સમુદ્ર સાથેનો રાજ્યનો વ્યાપક 1,650 કિમીનો દરિયાકિનારો, જે ભારતના કુલ દરિયાકિનારાના 21%થી વધુનો હિસ્સો ધરાવે છે, તે ચેરના્સ, પરવાળા અને લીલ-શેવાળ જેવા દરિયાઇ ઘાસ સહિત વિવિધ ઇકોસિસ્ટમ્સ માટે એક આદર્શ વાતાવરનું નિર્માણ કરે છે. રાજ્યના સંરક્ષણ માટેના સમર્પિત પ્રયાસોની સાથે આ કુદરતી અનુકૂળતા ગુજરાતને પર્યાવરણીય સ્થિરતામાં વૈશ્વિક કક્ષાએ અગ્રેસર બનાવે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો