Maharaj: આમિર ખાનના પુત્રની પહેલી ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ હોબાળો, જાણો ગુજરાતથી કેમ જોડાયેલી છે આ ફિલ્મ

0
146
Maharaj: આમિર ખાનના પુત્રની પહેલી ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ હોબાળો, જાણો ગુજરાતથી કેમ જોડાયેલી છે આ ફિલ્મ
Maharaj: આમિર ખાનના પુત્રની પહેલી ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ હોબાળો, જાણો ગુજરાતથી કેમ જોડાયેલી છે આ ફિલ્મ

Maharaj: આમિર ખાનના પ્રિય જુનૈદ ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરે તેની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. છેલ્લા ચાર વર્ષથી તે પોતાની અભિનય કારકિર્દી માટે તૈયારી કરી રહ્યો હતો. જુનૈદ ખાન તેની આગામી ફિલ્મ મહારાજમાં જયદીપ અહલાવત સાથે સ્ક્રીન શેર કરવા માટે તૈયાર છે. સિદ્ધાર્થ મલ્હોત્રા દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ સિલ્વર સ્ક્રીન પર રિલીઝ થવાને બદલે સીધી OTT પ્લેટફોર્મ પર પ્રીમિયર થશે, જો કે આ ફિલ્મના ના તો ક્યાય પોસ્ટર લાગ્યા છે કે ના તો એનું પ્રમોશન કરવામાં આવી રહ્યું છે, બીજી તરફ આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા ભારે હોબાળો મચી ગયો છે. જાણો આખરે શું છે આ ફિલ્મમાં અને ગુજરાત સાથે કેમ જોડાયેલી છે આ ફિલ્મ…

Maharaj: આમિર ખાનના પુત્રની પહેલી ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ હોબાળો, જાણો ગુજરાતથી કેમ જોડાયેલી છે આ ફિલ્મ
Maharaj: આમિર ખાનના પુત્રની પહેલી ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ હોબાળો, જાણો ગુજરાતથી કેમ જોડાયેલી છે આ ફિલ્મ

મહારાજ OTT રિલીઝ ડેટ | Maharaj OTT Release Date

ફિલ્મના અભિનેતા જયદીપ અહલાવતે ઇન્સ્ટાગ્રામ પર આ વાતની પુષ્ટિ કરી છે કે મહારાજ 14 જૂને OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 1862ના મહારાજા માનહાનિ કેસ પર છે. ફિલ્મની વાર્તા પત્રકાર અને સમાજ સુધારક કરસનદાસ મુલજી પર આધારિત છે. તમને જણાવી દઈએ કે કરસનદાસ મૂળજીએ તે યુગમાં મહિલાઓના અધિકારો અને સામાજિક સુધારણામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

મહારાજ ક્યાં રિલીઝ થશે | Maharaj on June 14

મહારાજાને OTT (Maharaj Ott) પ્લેટફોર્મ Netflix પર જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે નેટફ્લિક્સે સોશિયલ મીડિયા પર તેના વિશે એક પોસ્ટ શેર કરીને જુનૈદના ડિજિટલ ડેબ્યૂના સમાચાર પણ આપ્યા હતા. રસપ્રદ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, ‘એક શક્તિશાળી માણસ અને નિર્ભય પત્રકાર વચ્ચે સત્યની લડાઈ. 1860 ના દાયકાની સાચી ઘટનાઓ પર આધારિત – મહારાજ ફક્ત નેટફ્લિક્સ પર 14 જૂને રિલીઝ થઈ રહી છે.

મહારાજનો હોબાળો કેમ?

આમીર ખાનના પુત્ર જુનૈદની પહેલી ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. નેટફ્લીક્સ પોતાના કન્ટેન્ટ, પ્રોજેક્ટ અને ફિલ્મને લઈને પ્રમોશનમાં કદી કોઈ કચાશ છોડતું નથી, ત્યારે આ સ્ટાર કીડની પહેલી ફિલ્મ મોટા પરદા પર રિલીઝ થવાના બદલે Netflix OTT પર થવાની છે, પરંતુ આ ફિલ્મનું ‘ના’ તો ક્યાય પ્રમોશન થઇ રહ્યું છે કે ‘ના’ તો તેનું ટેઈલર લોન્ચ કરવામાં આવ્યું છે. આની પાછળ કારણ બતાવવામાં આવી રહ્યું છે કે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા નેટફ્લીક્સ અને યશ રાજ ફિલ્મ્સને નોટીસ ફટકારવવામાં આવી છે, જેના કારણે Netflix શાંત થઈને બેઠું છે. VHP અને બજરંગ દળ જેવા હિંદુ સંગઠનનો દાવો છે કે આ ફિલ્મમાં હિંદુ સનાતન ધર્મની લાગણી દુભાય તેવું કન્ટેન્ટ દર્શાવવામાં આવ્યું છે. Netflix પણ આગમાં ઘી ના પડે તે હેતુથી આ ફિલ્મના પ્રમોશનને ટાળી રહ્યું છે. હિંદુ સંગઠન દ્વારા ચેતવણી આપવામાં આવી રહી છે કે જો આ ફિલ્મને રિલીઝ પહેલા તેઓને બતાવવામાં નહીં આવે તો ઉગ્ર પ્રદર્શન કરશે. બીજી તરફ Netflix અને યશ રાજ ફિલ્મ્સ દ્વારા આ અંગે ચુપકી સાધી લીધી છે.

અત્રે ઉલ્લખનીય છે કે, આ પ્રથમ વખત નથી જયારે કોઈ ફિલ્મનો આ રીતે વિરોધ કરવામાં આવ્યો હોય, આગાઉ પણ યશ રાજ ફિલ્મ્સની ફિલ્મ ‘પઠાણ’ માટે પણ તેમને નોટીસ મળી હતી જેનો જવાબ યયશ રાજ ફિલ્મ્સ એન્ટરટેઈનમેન્ટે ચૂપ રહીને જ આપ્યો હતો.

નેટફ્લિક્સના ‘મહારાજ’ પાછળના વાસ્તવિક હીરો

નેટફ્લિક્સનું આગામી પીરિયડ ડ્રામા ‘મહારાજ’ વાસ્તવિક જીવનના 1862ના મહારાજ બદનક્ષી કેસ પર આધારિત છે, જ્યાં પત્રકાર કરસનદાસ મૂળજીએ ધાર્મિક નેતાના કથિત જાતીય ગેરવર્તણૂકનો પર્દાફાશ કર્યો હતો. કરસનદાસે સનસનાટીભર્યા ટ્રાયલ કેવી રીતે જીત્યા તે આ ફિલ્મમાં છે.

Maharaj Libel Case

Maharaj: આમિર ખાનના પુત્રની પહેલી ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ હોબાળો, જાણો ગુજરાતથી કેમ જોડાયેલી છે આ ફિલ્મ
Maharaj: આમિર ખાનના પુત્રની પહેલી ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ હોબાળો, જાણો ગુજરાતથી કેમ જોડાયેલી છે આ ફિલ્મ

બોમ્બે હાઈકોર્ટમાં 1862 ના મહારાજ બદનક્ષી કેસ (Maharaj Libel Case) પર કેન્દ્રિત, આ ફિલ્મ ધાર્મિક નેતા જદુનાથજી બ્રીજરતનજી મહારાજના કથિત જાતીય ગેરવર્તણૂકને ઉજાગર કરવાના વાસ્તવિક જીવનના પત્રકાર કરસનદાસ મૂળજીના પ્રયત્નોને પ્રકાશિત કરે છે.

Maharaj: આમિર ખાનના પુત્રની પહેલી ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ હોબાળો, જાણો ગુજરાતથી કેમ જોડાયેલી છે આ ફિલ્મ
Maharaj: આમિર ખાનના પુત્રની પહેલી ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ હોબાળો, જાણો ગુજરાતથી કેમ જોડાયેલી છે આ ફિલ્મ

ન્યાયાધીશ જોસેફ આર્નોલ્ડે કરસનદાસની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, તે સમયે તે સનસનાટીભર્યા સમાચાર હતા. આર્નોલ્ડના શબ્દોમાં, “જાહેર પત્રકાર એ જાહેર શિક્ષક છે: પ્રેસનું સાચું કાર્ય, જેના આધારે તે આધુનિક વિશ્વની મહાન શક્તિઓમાંની એક તરીકે યોગ્ય રીતે વિકસ્યું છે – શિક્ષણનું કાર્ય છે. અને જેઓ તેના પ્રભાવની શ્રેણીમાં આવે છે તેમને પ્રબુદ્ધ કરે છે.”

કરસનદાસ હંમેશા જાહેર સેવા માટે સમર્પિત હતા. તેઓ એલ્ફિન્સ્ટન કોલેજની સ્ટુડન્ટ્સ સોસાયટી દ્વારા સ્થાપિત ગુજરાતી જ્ઞાનપ્રસારક મંડળી (ગુજરાતી સોસાયટી ફોર ધ સ્પ્રેડ ઓફ નોલેજ)ના સક્રિય સભ્ય હતા. તેમના સહપાઠીઓમાં કવિ નર્મદ અને શિક્ષણવિદ મહિપતરામ નીલકંઠ જેવા અગ્રણી સુધારકો હતા.

જો કે, ન તો સમાજ કે પારિવારિક દબાણ કરસનદાસને તેની પત્રકારત્વની વૃત્તિને અનુસરતા રોકી શક્યું નહીં. તેમના લેખન અને વિચારો સાથે વધુ મુક્ત બનવાની ઇચ્છાથી, તેમણે પોતાનું મેગેઝિન શરૂ કરવાનું નક્કી કર્યું. કેટલાક મિત્રોની મદદથી, તેમણે તેમના સામાજિક હિતના કાર્યને આગળ વધારવા માટે 1855ની આસપાસ ‘સત્યપ્રકાશ’ નામનું એક ગુજરાતી સાપ્તાહિક શરૂ કર્યું. સાપ્તાહિક મેગેઝિન જૂની ભારતીય પરંપરાઓ અને સામાજિક દુષણોનો હિંમતપૂર્વક સામનો કરવા માટે જાણીતું હતું.

મહારાજની સ્ટારકાસ્ટ

મહારાજમાં જુનૈદ ખાન અને જયદીપ અહલાવત લીડ રોલમાં જોવા મળશે. આ સિવાય વિપુલ મહેતા, સ્નેહા દેસા, શાલિની પાંડે અને શર્વરી જેવા કલાકારો પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્માણ આદિત્ય ચોપરા દ્વારા યશ રાજ ફિલ્મ્સ એન્ટરટેઈનમેન્ટ (YRF)ના બેનર હેઠળ કરવામાં આવ્યું છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો