ચીનના શિઆન પ્રાંતમાં ભૂસ્ખલન,21 લોકોના મોત

0
74
ચીનના શિઆન પ્રાંતમાં ભૂસ્ખલન,21 લોકોના મોત
ચીનના શિઆન પ્રાંતમાં ભૂસ્ખલન,21 લોકોના મોત

ચીનના શિઆન પ્રાંતમાં ભૂસ્ખલન

વરસાદ અને ભૂસ્ખલનને કારણે 21 લોકોના મોત

લોકોનું સ્થાળાતર કરવામાં આવ્યું

ચીનના શિઆન પ્રાંતના પર્વતીય વિસ્તારમાં ભારે વરસાદ અને પૂર અને ભૂસ્ખલનને કારણે 21 લોકોના મોત થયા છે અને છ અન્ય લોકો લાપતા છે. શિઆન જિલ્લાના ચાંગઆન ગામમાં ભારે વરસાદ બાદ  અને ભૂસ્ખલન થયું હતું. દુર્ઘટનાને કારણે નેશનલ હાઈવે 210 પર બે મકાનો અને 21  ભાગોને નુકસાન થયું છે.અને શહેરમાં લગભગ 900 ઘરો વીજળી વગરના બન્યા હતા. ચીનની સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર જુલાઈમાં પૂર અને ભૂસ્ખલનના કારણે 142 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 980 લોકો લાપતા બન્યા હતા. ખાનુન વાવાઝોડાને કારણે ચીનમાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે. આ વાવાઝોડાને કારણે અગાઉ દક્ષિણ કોરિયા અને જાપાનમાં પણ નુકસાન થયું હતું. હવે આ વાવાઝોડું ચીનમાં નબળું પડી ગયું છે. ચીનમાં ખાનુન વાવાઝોડા પહેલા ડોકસુરી વાવાઝોડાએ તબાહી મચાવી હતી. 

લોકોનું સ્થાળાતર કરવામાં આવ્યું

રવિવાર સાંજ સુધી, 186 રહેવાસીઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે અને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 210 ના ત્રણ ગંભીર રીતે નુકસાન પામેલા ભાગોને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. નજીવા નુકસાન સાથે 21 રોડ વિભાગો પર કામ કરવામાં આવી રહ્યું છે અને 49 અસરગ્રસ્ત વિસ્તારોમાં સંચાર સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે.સ્થાનિક ફાયર વિભાગ, પોલીસ અને ઈમરજન્સી મેનેજમેન્ટના અધિકારીઓ બચાવ કામગીરીનું સંકલન કરવાના પ્રયાસો કરી રહ્યા છે. અહેવાલ મળ્યા બાદ, ચીનના ઇમરજન્સી મેનેજમેન્ટ મંત્રાલયે બચાવ અને પ્રતિસાદના પ્રયાસોમાં મદદ કરવા માટે એક કાર્યકારી જૂથને આપત્તિ સ્થળ પર રવાના કર્યું.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ